ગુજરાતના ધાર્મિક સ્થાનોમાં પણ ધૂળેટીની ઉજવણીને લઈ અનેરો ઉત્સાહ, દ્વારકા, ડાકોરમાં લાખો ભક્તો પહોંચ્યા, અમદાવાદના ધાર્મિક સ્થાનો પર પણ ધૂળેટીનું આયોજન
દ્રારકામાં ફુલડોલ ઉત્સવની ઉજવણી, મોટી સંખ્યામાં ભક્તો દ્રારકા પહોચ્યા
ડાકોરના ઠાકોર ભક્તો સાથે રમ્યા ધુળેટી
સોનાની પિચકારી થી ભગવાને ભક્તો ઉપર ઉડાડી કેસૂડાની છોળો
અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરે રંગ ઉત્સવ અને ફુલોત્સવની ઉજવણી
500 કિલો વિવિધ ફૂલ અને 500 કિલો વિવિધ રંગથી ધુળેટીની ઉજવણી
આજે ધૂળેટીના દિવસે ગુજરાતભરમાં ઠેર-ઠેર ઉજવણી કરાઇ રહી છે. આ તરફ ગુજરાતના ધાર્મિક સ્થાનોમાં પણ ધૂળેટીની ઉજવણીને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે દ્વારકામાં ધામધૂમથી ફુલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. આ સાથે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ધુળેટીની ઉજવણી કરાઇ રહી છે. ડાકોરમાં લાખોની સંખ્યામાં ભક્તોએ ધુળેટીની ઉજવણી કરી છે. આ સાથે સોનાની પિચકારીથી ભગવાને ભક્તો ઉપર કેસૂડાનો રંગ છાંટ્યો છે. તો બીજી તરફ અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરે રંગ ઉત્સવ અને ફુલોત્સવની ઉજવણી કરાઈ છે. જેમાં 500 કિલો વિવિધ ફૂલ અને 500 કિલો વિવિધ રંગથી ધુળેટીની ઉજવણી કરવામાં આવી છે.
દ્વારકામાં આજે ધામધૂમથી ઉજવાશે ફુલડોલ ઉત્સવ
જગવિખ્યાત દ્વારકાધીશ મંદિરમાં આજે 2 થી 3 વાગ્યા દરમિયાન ફુલડોલ ઉત્સવની ઉજવણી થશે. દ્વારકામાં ફુલડોલ ઉત્સવને લઇ ભક્તિમય માહોલ જોવા મળ્યો છે. આજે દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ સંગ રંગે રંગાવા ભક્તો પહોંચ્યા છે. અબીલ ગુલાલના રંગો સંગ ભક્તો દ્વારકાધીશ સંગ રંગાશે. આ સાથે મંદિરમાં આજે પૂજારી પરિવાર દ્રારા પણ ભવ્ય ઉજવણી થશે.
બપોરે 2થી 3 વાગ્યા દરમિયાન દ્રારકામાં ફુલડોલ ઉત્સવ
દ્રારકામાં આજે ધૂળેટીના પર્વ નિમિતે ફુલડોલ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાશે. આજે 2થી 3 વાગ્યા દરમિયાના દ્રારકામાં ફુલડોલ ઉત્સવની ઉજવણી થશે. જેને લઇને મોટી સંખ્યામાં ભક્તો દ્રારકા આવી પહોચ્યા છે આજે દ્રારકાનગરીમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ભગવાન દ્રારકાધીશ સંગ રંગે રંગાવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. મંદિરમાં આજે પૂજારી પરિવાર દ્રારા ભવ્ય ઉજવણી થશે. મંદિર પ્રશાસન દ્રારા ભક્તોને કોઈ સમસ્યા ન આવે તે માટે છેલ્લા કેટલાય સમયથી તૈયારીઓ કરી છે.
અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરે ધૂળેટીની ઉજવણી
સમગ્ર દેશમાં આજે ધુળેટી નો ઉત્સવ ઉજવાયો છે. આ દરમિયાન અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરે રંગ ઉત્સવ અને ફુલોત્સવની ઉજવણી કરાઈ છે. જેમાં 500 કિલો વિવિધ ફૂલ અને 500 કિલો વિવિધ રંગથી ધુળેટીની ઉજવણી કરવામાં આવી હતી.
આ સાથે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામને ચાંદીની પિચકારીથી રંગવામાં આવ્યા હતા. જેને લઈ આજે ધૂળેટીના દિવસે મોટી સંખ્યામાં શહેરીજનો તેમજ સાધુ-સંતો હાજર રહ્યા હતા.
ડાકોરમાં સોનાની પિચકારીથી ભક્તો ઉપર કેસૂડાનો રંગ
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ધુળેટીની ઉજવણી કરાઇ રહી છે. આજે લાખોની સંખ્યામાં ભક્તોએ ડાકોરમાં ધુળેટીની ઉજવણી કરી છે. મહત્વનું છે કે, સોનાની પિચકારીથી ભગવાને ભક્તો ઉપર કેસૂડાનો રંગ છાંટ્યો છે. અબીલ ગુલાલ સહિતના રંગોથી સમગ્ર ડાકોર મંદિર ભીંજાયું છે. આજે યાત્રાધામ ડાકોરમાં ધૂળેટીનો પર્વ ધામધૂમથી પરંપરાગત રીતે ઉજવાયો હતો. ભગવાન પોતાના ભક્તો સાથે પરંપરાગત રીતે સોનાની પિચકરી કલર અબીલ ,ગુલાલ અને કેસૂળાથી ધૂળેટી રમ્યા હતા. ભક્તો પણ ભગવાનના દર્શન કરી ધૂળેટી રમી ઝૂમી ઉઠ્યા હતા.
ભગવાન કૃષ્ણ જ્યારે વ્રજવાસીઓ સાથે ધૂળેટી રમ્યા હતા તે જ રીતે અને તે જ ભાવથી પોતાના ભગવાન રણછોડની સાથે ધૂળેટી રમવા ભક્તો વહેલી સવારથી ડાકોર મંદિરમાં ઉમટી પડ્યા હતા. ભગવાન ફૂલડોલમાં બિરાજી સોના અને ચાંદીની પિચકારીથી કેસુડાંના રંગો ભક્તો ઉપર છાટી ધૂળેટી રમ્યા હતા. ભક્તો પણ ડાકોરના માર્ગો ઉપર રામઢોલ વગાડતા નાચતા ગાતા મંદિરમાં પહોચ્યા હતા. સંઘો દ્વારા ધ્વજા રોહણ કારી ભગવાન ઉપર અબીલ ગુલાલ ઉડાડી ધૂળેટી રમ્યા હતા જે બાદ પોતાના સ્વજનો સાથે ધૂળેટી રમી ઝૂમી ઉઠ્યા હતા.
ડાકોરમાં વર્ષોથી ફૂલદોડ ઉત્સવ
ઉત્તર ફાગણ નક્ષત્ર હોય તે દિવસે ડાકોર રણછોડજી મંદિરમાં ફૂલદોડ ઉત્સવ ઉજવવામાં આવે છે. આંબાના પાન અને પાણી, આસોપાલવના પાન અને વિવિધ ફળોથી ઝુલો શણગારવામા આવ્યો હતો. જેમાં શણગાર આરતી બાદ રણછોડજી નું બાલ સ્વરૂપ ગોપાલ લાલજી બિરાજમાન થયા હતા. જે બાદ અબીલ ગુલાલ સહિતના વિવિધ રંગો સાથે સોના અને ચાંદીની પિચકારી ભરીને ભગવાન ભક્તો સાથે ધૂળેટી રમ્યા હતા. જે દરમિયાન ભગવાનને ધાણી ,ચણા અને ખજૂર નો ભોગ ધરાવવામાં આવ્યો સાથે ફૂલડોલ દરમિયાન ચાર વિશિસ્ટ આરતી સાથે વિવિધ રંગોથી રણછોડજી સખીભાવે ચાર ખેલ રમ્યા હતા.
ડાકોર ફાગણી પૂનમ ઉત્સવમાં 12 લાખથી વધુ ભક્તો
ડાકોર ફાગણી પૂનમ ઉત્સવમાં 12 લાખથી વધુ ભક્તો જ્યારે ઉમટી પડ્યા હોય અને તેવામાં કાયદો અને વ્યવસ્થા માટે ખડેપગે છેલ્લા 5 દિવસથી પોતાના પરિવરથી દૂર મહિલા અને પુરુષ પોલીસ જવાનોએ આજે ડાકોર મંદિરમાં જ ભગવાન સાથે ધૂળેટી રમ્યા બાદ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ આજે મન ખોલી ધૂળેટી રમ્યા હતા. અબીલ ગુલાલથી એકમેકને રંગો થી રંગી ધૂળેટી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. પોલીસ જવાનોએ આજે મંદિરના પટાંગણમાં જ બધુ ભૂલી રંગોત્સવની મજા માણી હતી. જય રણછોડ ના નાદથી આજે પોલીસ કર્મીઓ ધૂળેટી રમતા ભક્તોએ પણ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
અમદાવાદના ધાર્મિક સ્થળો પણ ઉત્સવોનું આયોજન
અમદાવાદના ધાર્મિક સ્થળો પણ ધુળેટીના પર્વની ઉજવણી માટે સજ્જ છે. ભાડજના હરે કૃષ્ણ મંદિર, ઈસ્કોન મંદિર, પુષ્ટી માર્ગીય હવેલીમાં પણ ધૂળેટીને લઈ આયોજન કરાયું છે. આ સાથે રાધા-કૃષ્ણ મંદિરોમાં ભગવાનને ધુળેટીનો વિશેષ શણગાર કરાયો છે.