એમ્સના આઈસીયૂમાં એડમિટ વુદ્ધોથી વધારે 50 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોના મોત થયા છે.
મરનારા 42.1 પર્સન્ટ લોકોની ઉંમર 18થી 50 વર્ષની વચ્ચે
કુલ 654 દર્દી આઈસીયૂમાં એડમિટ થયા હતા
વિદેશોમાં વૃદ્ધોના મોત વધારે થયા
મરનારા 42.1 પર્સન્ટ લોકોની ઉંમર 18થી 50 વર્ષની વચ્ચે
કોરોનાના કારણે એમ્સના આઈસીયૂમાં એડમિટ વુદ્ધોથી વધારે 50 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોના મોત થયા છે. આ ચોંકાવનારો ખુલાસો એમ્સની સ્ટડીમાં થયો છે. એમ્સના આઈસીયૂમાં 247ના મોત થયા છે. જેમાં 42.1 પર્સન્ટ મરનારા લોકોની ઉંમર 18થી 50 વર્ષની વચ્ચેની હતી, આઈસીયૂમાં મરનારા 94.74 ટકામાંથી એક અથવા તેનાછી વધારે લોકોમાં કોર્મોબિડિટીઝ જોવા મળી છે. ફક્ત 5 ટકા એવા લોકોના મોત થયા છે જેમાં કોઈ કોમોર્બિડિટી નહોંતી. આ કોવિડના પહેલા ફેઝનો અભ્યાસ છે. જેમાં 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોના મોતના આંકડા વૃદ્ધ કરવા વધારે છે. એક્સપર્ટનું કહેવું છે કે આ એક મોટું કારણ છે કે 50 વર્ષની નાની ઉંમરના લોકો કોઈને કોઈ કોમોર્બિડિટીનો શિકાર હોય છે જેથી તે ગંભીર બિમારી હોય છે અને મોતનો ખતરો વધારે હોય છે.
કુલ 654 દર્દી આઈસીયૂમાં એડમિટ થયા હતા
એમ્સમાં આ અભ્યાસ 4 એપ્રિલથી લઈને 24 જુલાઈની વચ્ચે કરવામાં આવ્યો. કુલ 654 દર્દી આઈસીયૂમાં એડમિટ થયા હતા. જેમાંથી 227 એટલે કે 37.7 ટકાના મોત થયા છે. આ અંગે એમ્સ ટ્રોમા સેન્ટરના ચીફ ડાયરેક્ટર રાજેશ મલ્હોત્રાએ કહ્યું કે સૌથી ચોંકાવનારી વાત એ છે કે 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોના મોતનો આંકડો વધારે છે. આ સ્ટડીમાં અમે એ જોયું કે 42.1 ટકાની ઉંમરના 50 વર્ષથી ઓછા છે. જ્યારે 51થી 65 વર્ષની વચ્ચે આ 34.8 ટકા અને 65 વર્ષથી ઉપરના 23.1 ટકા છે.
વિદેશોમાં વૃદ્ધોના મોત વધારે થયા
ડોક્ટર મલ્હોત્રાએ કહ્યું કે વિદેશોમાં વૃદ્ધોના મોત વધારે થયા છે. ચાહે અમેરિકા હોય અથવા બ્રિટન. આનું કારણ એ પણ છે કે ત્યા વૃદ્ધોની સંખ્યા વધારે છે અને ભારતમાં યુવાનોની સંખ્યા વધારે છે. જ્યારે આપણા દેશમાં ચિંતાજનક વાત એ છે કે આપણા દેશમાં યુવાનોમાં કોમોર્બિડિટી છે. જેના કારણે વાયરસ જીવલેણ સાબિત થાય છે. તેમણે કહ્યું કે પહેલી વાર બાળકોને આ અભ્યાસમાં સામેલ કરાયા હતા. 46 બાળકોના આઈસીયૂમાં હતા. જેમાંથી 6ના મોત થયા છે. એટલે તે આ 13 ટકા મોત છે. તેમાંથી કોઈને કોઈ બીમારી હતી. વધુંમાં તેમણે જણાવ્યું કે મોટાભાગના દર્દીઓ ગંભીર હતા. 22 ટકા દર્દી વેન્ટિલેટર સાથે એડમિટ થયા હતા અને 28 ટકા દર્દી 24 કલાકની અંદર વેન્ટિલેટર પર મૃત્યું પામ્યા હતા. એટલે કે 50 ટકા દર્દીની સ્થિતિ ગંભીર હતી. આ અભ્યાસમાં આ સ્પષ્ટ છે કે કોવિડમાં પુરુષોના મોત વધારે થયા છે.