ચીનમાં વધતા જતા કોરોના સંક્રમણને કારણે લોકોમાં હવે ભયનો માહોલ ફેલાઈ ગયો છે. વધતા કોરોનાને કારણે રાજધાની બેઈજીંગમાં સરકાર દ્વારા મોલ મલ્ટીપ્લેક્ષ પણ બંધ કરી દેવામાં આવ્યા.
ચીનમાં કોરોનાને કારણે લોકોમાં ભયનો માહોલ
રાજધાની બેઈજીંગમાં કોરોનાના કેસ વધ્યા
કેસ વધતાની સાથે સરકાર એકશન મોડમાં
ચીનમાં કોરોનાના વધતા સંક્રમણને લઈને અહીયાની સરકાર હવે ચિંતામાં મુકાઈ ગઈ છે. સાથેજ તે સંક્રમણને રોકવા માટે એકશન મોડમાં આવી ગઈ છે. ચીનની રાજધાની બીજિગનાં આવેલ બધા મોલ ત્યા સીલ કરી દેવામાં આવ્યા છે. જે પણ જગ્યાએ કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે. ત્યા લોકડાઉન લગાવીને કોરોના ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
બેઈજીંગમાં 6 નવા કેસ નોંધાયા
બેઈજીંગમાં સવારે 6 નવા કેસ સામે આવ્યા હોવાનું સામે આવ્યું છે. જે પણ લોકોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે તેમની સંપર્કમાં આવેલા લોકોના પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને બેઈજીંગના ડોંગચેગમાં આવેલ સિટી મોલને પણ સીલ કરી દેવામાં આવ્યો છે કારણકે અહીયા એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.
મેરાથોન રેસ રદ કરવામાં આવી
કોરોનાના કેસ વધારો થવાને કારણે 40 વર્ષથી ચીનમાં જે મેરાથોન રેસ યોજાતી હતી તે રેસ પણ રદ કરી દેવામાં આવી છે. સંક્રમણ ફેલાવાના ડરને લઈને આ મેરાથોન રેસને રદ કરવામાં આવી છે. બીજી તરફ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં ચીનમાં વિંટર ઓલંપિક યોજાવાના છે જે ચીન માટે એક મોટો પડકાર કહી શકાય.
ડેલ્ટા વેરિએંટને કારણે કેસ વધ્યા
કોરોનાના ડેલ્ટા વેરિએંટને કારણે અહીયા દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે. નવા કેસો સામે આવ્યા બાદ સરકારે અહીયા ઉત્તરી પશ્ચિમી શહેર લાન્ઝાઉમાં લોકડાઉન જાહેર કર્યું હતું. પ્રશાસન દ્વારા પણ કહેવામાં આવ્યું કે જો જરૂર વગર ઘરની બહાર ન નીકળો તે તમારા માચે સારુ રહેશે. આ શહેરની આબાદી કુલ 40 લાખ છે.
એંજિન કાઉંટીમાં પણ લોકોને ઘરમાં રહેવા આદેશ
ઉલ્લેખનીય છે કે ચીનના ઈનર મંગોલિયામાં એજિન કાઉંટીમાં લોકોને ઘરમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. એજિનની કુલ વસ્તી 35,700 છે. જેમને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.