કોરોના વાયરસના કારણે લાખોની સંખ્યામાં લોકો મરી રહ્યાં છે અને કેટલાક કુટુંબ તો વિખેરાઇ જ રહ્યાં છે ત્યારે એક કિસ્સો એવો સામે આવ્યો છે જે તમારી આંખમાં પાણી લાવી દેશે.
કોરોનામાં મરી રહ્યાં છે લોકો
પ્રાઇવેટ કંપનીએ કરી નહી પહેલ
60 વર્ષ સુધી આપશે પગાર
કોરોનાના કારણે જીવ ગુમાવનાર લોકોના કારણે ઘણા લોકો બેસહારા થઇ ગયા છે. પતિના મૃત્યુ બાદ પત્ની અને બાળકો એકલા થઇ જાય છે તો કેટલાક માતા-પિતા પોતાના બાળકો વગર એકલા થઇ જાય છે આવા લોકોને મદદ કરવા માટે ટાટા સ્ટીલે એક મોટુ એલાન કર્યુ છે.
બાળકોના ભણતરનો ખર્ચો ઉઠાવશે
ટાટા સ્ટીલ પ્રબંધને કહ્યું કે કંપની પોતાના કર્મચારીઓને સામાજીક સુરક્ષા આપવાની બધી મદદ કરવાની પહેલ કરી રહી છે. ત્યારે કહ્યું કે ટાટા તેના કર્મચારીઓ કે જેણે કોરોનામાં જીવ ગુમાવ્યો છે તેમના પરિવારને 60 વર્ષ સુધી વેતન આપશે અને બાળકોના ગ્રેજ્યુએશન સુધીનો ખર્ચો પણ ઉઠાવશે.
મહત્વનું છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓની મોત થયા બાદ તેમના આશ્રિતોને સારી કરમ અને પેન્શન જેવી સુવિધાઓ મળે છે પરંતુ પ્રાઇવેટ ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓને ખાસ કંઇ મળતુ નહોતું. હવે કોરોના સંકટના કારણે ખાસકરીને દિગ્ગજ પ્રાઇવેટ કંપનીઓએ પહેલ કરી છે.
શું કહ્યું કંપનીએ
ટાટા સ્ટીલે કહ્યું કે, કંપની હંમેશાથી પોતાના કર્મચારીઓ અને સ્ટેકહોલ્ડર્સના લાભની દિશામાં વિચારતી આવી છે અને કોરોના કાળમાં ટાટા સ્ટીલે પોતાના કર્મચારીઓ અને સામાજીક કલ્યાણ માટે સતત કાર્યરત રહેશે.