કોરોના વાયરસથી લૉકડાઉન દરમિયાન દેશભરમાં LPG સિલિન્ડરની માંગ પૂરી કરનારા ડિલીવરી બૉયને જો કોઇ થશે તો પેટ્રોલિયમ કંપની 5 લાખ રૂપિયાની મદદ કરશે. આ રકમ કોરોના વાયરસથી સંક્રમિતથી જીવ ગુમાવનારા LPG ડિલર્સના તમામ કર્મચારીઓના પરિવારને મળશે. કંપનીઓના આ નિર્ણયથી પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગેસ મંત્રી ધમેન્દ્ર પ્રધાને સ્વાગત કર્યુ છે.
પેટ્રોલિયમ મંત્રાલયના એક અધિકારી અનુસાર, સરકારી કંપનીઓ IOC, BPCL, HPCL એ જે નિર્ણય કર્યો છે, તેના દાયરામાં આવતા LPG ડિલરના તમામ કર્મચારીઓ શામેલ થશે, જે માર્ચ 25 2020 થી પેરોલ પર હશે, જેમાંથી કોઇ વ્યકિત કોરોના વાયરસથી સંક્રમિત થઇને જીવ ગુમાવે તો તેના સાથીને પાંચ લાખ રૂપિયા કંપની તરફથી આપવામાં આવશે. જો કોઇ કર્મચારીની જીવનસાથી નથી તો તેમના ઘર અથવા તો નજીકના સંબંધીઓને આ રકમ આપવામાં આવશે.
IndianOil to provide an ex -gratia amount of Rs 5 lakhs in case of death of any personnel of Indane distriburships arising out of infection and impact of COVID-19 as one-time special measure, to include
Show-room Staff, Godown keepers, Mechanics & Delivery boys@dpradhanbjp
આ સિવાય પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગેસ મંત્રી ધમેન્દ્ર પ્રધાને ટ્વીટ કરીને કહ્યુ કે, ''ઇન્ડિયન ઑઇલ, BPCL અને HPCL દ્વારા લેવામાં આવનારા આ નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. અમારા માટે કર્મચારીઓનું કલ્યાણ જ સર્વોપરી છે. આ પગલું કોરોના વિરુદ્ઘની લડાઇને સમર્થન કરે છે.''
Ghaziabad: LPG cylinder being sanitized at Bharat Petroleum LPG bottling plant in Loni. "We are delivering disinfected LPG cylinders to our customers' doorsteps. There is no shortage of LPG cylinders," says Pawan Kumar, Northern Region LPG manager, BPCL. #CoronavirusLockdownpic.twitter.com/Fi6ZG3N0wN
ઉલ્લેખનીય છે કે, કોરોનાવાયરસનો ફેલાવો અટકાવવા માટે, દેશવ્યાપી લોકડાઉનમાં LPG સિલિન્ડરોની માંગમાં મોટો વધારો નોંધવામાં આવ્યો છે.એવું માનવામાં આવે છે કે લોકડાઉન દરમિયાન, લોકો ફાજલ સમયમાં વિવિધ પ્રકારની વાનગીઓ રાંધતા હોય છે. આને કારણે એલપીજી સિલિન્ડરોની માંગમાં મોટો વધારો નોંધવામાં આવી રહ્યો છે.