આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના બોરિયા ગામમાં ગતરાત્રિએ માતાજીના રથ પર કેટલાક અસમાજીક તત્વોએ પોલીસની હાજરીમાં પથ્થરમારો કરતાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
આણંદના બોરીયામાં જૂથ અથડામણનો મામલો
પોલીસની હાજરીમાં થયો હતો પથ્થરમારો
પોલીસે 100 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધી
પોલીસે 100 લોકો સામે ગુનો નોંધ્યો
આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના બોરિયા ગામમાં ગતરાત્રિએ માતાજીના રથ દરમિયાન પથ્થરમારાની ઘટના બનતા ચકચાર મચી છે. બે જૂથ વચ્ચે બોલાચાલી થયા બાદ સામાસામા પથ્થરમારાની ઘટના બનતા પોલીસે અજાણ્યા 100 લોકોના ટોળા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગામમાં પોલીસની હાજરીમાં પથ્થર મારો થયો હોવાનું આવ્યુ સામે
પેટલાદ તાલુકાના બોરિયા ગામે મંગળવારની મોડી રાત્રે પથ્થરમારાની ઘટનાથી જિલ્લા પોલીસના ધાડેધાડે પહોંચ્યાં હતાં. બોરિયા ગામમાં માતાજીના રથ સમયે ડીજે વગાડવા મુદ્દે બે જૂથ વચ્ચે બોલાચાલી થયા બાદ સામાસામા પથ્થરમારાની ઘટના બનતા વાતાવરણ તંગ બન્યું હતુ. ઘટનાના પગલે પહોંચેલી LCB, SOGની ટીમે મામલાને થાળે પાડ્યો હતો.
પોલીસે 100 લોકો સામે ગુનો નોંધ્યો
આ ઘટના અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસના હેડ કોન્સ્ટેબલની ફરિયાદ આધારે નહીં ઓળખાયેલા 100 જેટલા માણસો સામે આઈપીસી તથા જીપી એક્ટ કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.