ગુજરાતમાં AAP અને BTP વચ્ચે ગઠબંધન વચ્ચે ભરૂચ ખાતે યોજાયેલા મહાસંમેલનમાં કેજરીવાલે મોટું નિવેદન આપતાં જણાવ્યું કે, આજે ચૂંટણી કરાવી લો, તમારા સૂપડા સાફ છે
ગુજરાતમાં AAP અને BTP વચ્ચે ગઠબંધન
ભરૂચના ચંદેરીયાના વ્હાઇટ હાઉસ ખાતે BTPનું મહાસંમેલન
આદિવાસી સંમેલનમાં અરવિંદ કેજરીવાલનું નિવેદન
AAPને સમય ન મળે તે માટે ગુજરાતમાં વહેલી ચૂંટણી કરાવવાની તૈયારી છે- કેજરીવાલ
આ વર્ષના અંતે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ થશે તે નિશ્ચિત થઈ ગયું છે. આજે ભરૂતના ચંદેરીયાના વ્હાઈટ હાઉસ ખાતે AAP અને BTP વચ્ચે ગઠબંધ થવા પામ્યું છે. જેની વચ્ચે આમ આમદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી ભાજપ પર આકરાં પ્રહાર કરતાં મોટું નિવેદન આપ્યું છે કે, આ વખતે AAP-BTPની સરકાર બનશે. તેમણે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીને સમય ન મળે તે માટે ગુજરાતમાં વહેલી ચૂંટણી કરાવવાની તૈયારી છે, પણ અમારી પાસે જનતાનો પ્રેમ છે. તમે ગુજરાતમાં આજે ચૂંટણી કરાવી લો, તમારા પત્તાં સાફ છે
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 1, 2022
મને ગંદી પોલિટિક્સ કરવાનું નથી આવડતું - કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અમારી આ પ્રથમ પબ્લિક રેલી છે. ગુજરાતનો લોકો ઈમોસનલ હોય છે. હું ગુજરાતના સાડા છ કરોડ લોકો સાથે છું, મને ગંદી પોલિટિક્સ કરવાનું નથી આવડતું , મને તો માત્ર કામ કરતા આવડે છે. કેજરીવાલ હંમેશા દીલથી કામ કરે છે. પહેલા દિલ્લીમાં પણ હોસ્પિટલો ખરાબ હતી પરંતુ અમારી સરકાર આવ્યા પછી તેને દુરુસ્ત કરવામાં આવી છે. અમે દિલ્લીમાં મોહલ્લા ક્લીનીક ખોલ્યા છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 1, 2022
હું ઈમાનદાર છુ એટલે બધુ ફ્રી કરી રહ્યો છું- કેજરીવાલ
આ વખતે ગુજરાતમાં AAP-BTPની સરકાર બનશે. જેમ દિલ્લીમાં ફ્રી મા વીજળી મળી રહી છે તેમ અમારી સરકાર આવશે તો અહીંયા પણ ફ્રીમાં વીજળી મળશે. હું ઈમાનદાર છુ એટલે બધુ ફ્રી કરી રહ્યો છું. તેમણે જણાવ્યું હતું કે, હું પૈસા ખાતો નથી હું પૈસા ખાવા દેતો નથી.દિલ્હીમાં છેલ્લા 5 વર્ષમાં 12 લાખ નોકરીઓ આપી છે. તેમણે જણાવ્યું કે, હું કટ્ટર ઈમાનદાર છું, કેન્દ્ર સરકારે મારી ઓફિસ-ઘરમાં રેડ કરાવી પણ એમને કંઈ ના મળ્યું, એટલે તો હું આજે અહિયાં ઊભો છું. કેજરીવાલે ગુજરાતમાં વધુમાં વધુ લોકો AAPમાં જોડાય તેવી અપીલ કરી