છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ભરૂચ અને મોરબી જિલ્લામાં હત્યાની ઘટના સામે આવાત ચકચાર મચી છે.
ગુજરાતમાં હત્યારા બેફામ
ભરૂચમાં આડા સંબંધમાં હત્યાથી ચકચાર
મોરબીમાં સરાજાહેર યુવકની હત્યા
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃતિઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.રાજ્યમાં હત્યા,ચોરી,લૂંટ જેવી ઘટનાઓ તો સામાન્ય થઈ ગઈ હોય તેમ રોજ રાજ્યમાં અનેક જગ્યાએથી ગુનાહિત પ્રવૃતિઓ સામે આવતી હોય છે. ત્યારે ફરીથી એક વખત છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ભરૂચ અને મોરબી જિલ્લામાં હત્યાની ઘટના સામે આવી છે.ભરુચની વાત કરીએ તો ભરૂચના નર્મદા માર્કેટમાં મિત્ર એ જ મિત્રની હત્યા કરી નાખી છે.આ હત્યા આડા સંબંધમાં થઈ હોવાનું સામે આવી રહ્યું છે.તો બીજી તરફ મોરબીના જોન્સનનગરમાં પણ યુવાનની છરીના ઘા મારીને ઘાતકી હત્યા કરી નાખવામાં આવી છે.હાલ તો પોલીસે આ બંન્ને મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે પરંતુ રાજ્યમાં વધતા ગુનાખોરીના કિસ્સા સમાજ માટે ચિંતાજનક છે.
આડા સંબંધમાં ખેલાયો ખૂની ખેલ
ભરૂચમાં સરાજાહેર મિત્રએ મિત્ર સાથે ખૂની ખેલ ખેલ્યો હતો. નર્મદા માર્કેટ બનેલા હત્યાના બનાવના CCTV જોતાં ખબર પડે છે કેટલી ધાતાકી રીતે મિત્ર યુવકનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું છે. એક બાદ એક છરીના 18 ઘા ઝીકવામાં આવી રહ્યા હતા. અને જ્યાં સુધી સાથી મિત્રનો જીવ ન ગયો ત્યાં સુધી હત્યારો છરીના ઘા મારી રહ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર આડા સંબંધમાં આ ખૂની ખેલ ખેલાયો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતા પોલીસે હત્યારા સામે ગુનો નોંધી કાયદેસરની કાયર્વાહી હાથ ધરી છે.
મોરબીમાં અજાણ્યા બે શખ્સો છરી લઈ ચડી બેઠા
એક બાદ એક ગુજરાતમાં હત્યાના બનાવો સામાન્ય બનતા જાય છે દિન દહાડે હત્યારાઓ હત્યાને અજામ આપી ફરાર થઈ જઈ રહ્યા છે ત્યારે મોરબીના જોન્સનગરમાં યુવાનની હત્યાનો મામલો સામે આવ્યો છે. પ્રાથમિક સૂત્રોના જણાવ્યા અનુસાર અંગત અદાવતમાં ઇમરાન ખોડ નામના યુવાનની છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારીદેવામાં આવ્યો છે. ઈમરાન પર અજાણ્યા શખ્સોએ અચાનક હુમલો કરી દીધો હતો. છરી લઈ બંને આરોપીઓ ઈમરાન પર ચડી બેઠા હતા અને તેની હત્યા કરી નાખી હતી. હત્યાનો બનાવ બનતા અજાણ્યા બે શખ્સો સામે ગુનો નોંધી એ ડિવિઝન પોલીસે તપાસ તેજ કરી છે.