બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Banaskantha today, two cases of killing by jumping into the canal came to light
Last Updated: 06:59 PM, 23 September 2023
ADVERTISEMENT
બનાસકાંઠા જિલ્લામાં આપઘાતનો સીલસીલો યથાવત છે. આજે એક જ દિવસમાં આપઘાતથી ત્રણના મોત છે. બનાસકાંઠાના કાંકરેજમાં કેનાલમાં અગમ્ય કારણોસર પતિ-પત્ની ઝંપલાવ્યુ છે. કાંકરેજના રાણકપુ મુખ્ય કેનાલમાં પતિ-પત્નીએ અગમ્ય કારણોસર જીવન ટૂકાવ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયા દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી.
ADVERTISEMENT
પતિ-પત્નીએ જીવન ટૂંકાવ્યું
કાંકરેજના રાણકપુ કેનાલમા પતિ-પત્નીએ આપઘાત કર્યાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. જો કે, સમગ્ર બાબતની સ્થાનિકોને જાણ થતાં શોધખોળ હાથ ધરાઈ હતી. ત્યાર બાદ પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને શોધી પીએમ અર્થ ખસેડ્યા હતા.
પોલીસે તપાસ હાથ ધરી
બંન્ને મૃતદેહને પોલીસે કબ્જે કરી પીએમ અર્થે કાંકરેજ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે સમગ્ર બનાવને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આપઘાત કર્યાનું કારણ જાણવા મળ્યું નથી
ભરત નામના યુવકનો આપઘાચત
થરાદની મુખ્ય કેનાલમાં પરણીત યુવકે ઝંપલાવ્યુ છે. નાગલા પુલ પાસે ભરત નામના યુવકે બાઈક મૂકીને નર્મદા કેનાલમાં આપઘાત કર્યો છે. ક્યાં કારણોસર નર્મદા કેનાલમાં મોતને વ્હાલું કર્યું તે રહસ્ય અકબંધ છે. જો કે, સમગ્ર બાબતને લઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.