બનાસકાંઠામાં પ્રાથમિક શાળાની પરીક્ષાઓમાં છબરડાની ઘટના સામે આવી, શાળાઓમાં વિદ્યાર્થીઓ કરતા પેપરની સંખ્યા ઓછી મળી. ઉલ્લેખનીય છે તંત્રની આ બેદરકારીને કારણે બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાયુ છે.
પરીક્ષામાં છબરડાની બની ઘટના
શાળાઓમાં પરીક્ષા દરમિયાન થઈ ગેરરિતી
તંત્રની ભૂલના કારણે વિદ્યાર્થીઓને ભોગવવાનો વારો આવ્યો
વિદ્યાર્થીઓની સંખ્યા સામે પેપરોની વધઘટ
સમગ્ર બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં પરીક્ષા દરમિયાન ગેરરીતિ થઈ હોવાનું બહાર આવ્યું છે. જૂના લિસ્ટ પ્રમાણે પેપરો આવતા અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા સામે પેપરોની વધઘટ થઈ હતી. અને શાળાના સંચાલકોએ તાત્કાલિક ઝેરોક્ષ કરાઈને પરીક્ષા શરૂ કરાવી હતી. મહત્વની વાત એ છે કે પરીક્ષા સમયે પેપરની ઝેરોક્ષ કરાવવાને કારણે પેપરની ગુપ્તતા ન જળવાઈ નહોતી.
વિદ્યાર્થીઓની સંખ્યા સામે પેપરો ખૂટ્યાં
બનાસકાંઠા જિલ્લામાં પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. જોકે આજે પરીક્ષાના પ્રથમ દિવસે જ શિક્ષણ વિભાગ દ્વારા ગેરરિતી થઈ હોવાનું બહાર આવ્યું છે. વહેલી સવારે પેપરોનું બંચ ખોલતા જ વિદ્યાર્થીઓની સંખ્યા સામે પેપરો ઓછા પ્રમાણમાં આવ્યાં હોવાની ઘટના બની હતી. જેથી શાળાના સંચાલકોએ તાત્કાલિક ટીપીઓ અને જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ જાણવા મળ્યુ હતુ કે જૂના લિસ્ટ પ્રમાણે પેપરો આવતા પેપરોની ઘટ સર્જાઈ હતી. પેપરો ન મળતા વિદ્યાર્થીઓની પરેશાનીમાં સખત વધારો થયો હતો.
તંત્રની બેદરકારી આવી સામે
બનાસકાંઠામાં યોજાયેલી પરીક્ષામાં છબરડો મામલો બિચક્યો હતો, અને વાલીઓમાં રોષનો માહોલ પણ સર્જાયો હતો. બનાસકાંઠા જિલ્લા માં યોજાયેલ પરીક્ષામાં પેપર ખૂટ્યા હતા જેમાં શિક્ષણ વિભાગને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. પરીક્ષા શરૂ થતા જ પ્રાથમિક શાળાઓમાં પરીક્ષાઓ દરમિયાન પેપર પૂરતી સંખ્યામાં ન હોવાનો વિસ્ફોટ થયો હતો. ત્યારબાદ શિક્ષકોએ પેપરની ઝેરોક્ષ કઢાવીને વિધાર્થીઓ સુધી પેપર પહોંચાડ્યા હતા.