અરવલ્લી જિલ્લામાં ખેડૂતોના ફોર્મ રદ્દ થવાની ઘટના સામે આવી છે. જેના કારણે ખેડૂતોમાં રોષ ફેલાયો છે.
મળતી માહિતી અનુસાર ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોના ઓનલાઈન ફોર્મ ભરાતા હતા. જેમાં અનેક ખેડૂતોના ફોર્મ રદ્દ થયા છે. ઓનલાઈન નોંધણીનો સમય પૂર્ણ થતાં ફોર્મ રદ કરાયા છે. તો કેટલાક ખેડૂતોના ડોક્યુમેન્ટમાં ભૂલોને પગલે ફોર્મ રદ્દ કરાયા છે.
જો કે ખેડૂતોને ફોર્મ રહેલી ભૂલો સુધારવાની તક ન મળતાં ખેડૂતોમાં રોષ ફેલાઈ ગયો છે. તો સરકારના ખરીદીના નિયમના કારણે 400 જેટલા ખેડૂતો રખડ્યા છે.