અમરેલીમાં PM મોદીએ જંગી જનસભા સંબોધી વિકાસ કામો વર્ણવ્યા હતા. બીજી બાજુ કોંગ્રેસને વિકાસની પરિભાષાની જ જાણ ન હોવાનું કહી તેમની પાસેથી આશા છોડી દેવા જણાવ્યું હતુ.
PM મોદીની અમરેલીમાં જનસભા
કોંગ્રેસ વિરુદ્ધ વડાપ્રધાને માર્યા ચાબખા
ગુજરાતને આપણે મજબૂત બનાવવુ છે : મોદી
ગુજરાતનો ગઢ જીતવા રાજકીય પક્ષો દિવસ રાત એક કરીને મહેનતને લાગી ગયા છે. બીજી બાજુ સ્ટાર પ્રચારકોએ ગુજરાતમાં ધામા નાખ્યા છે. જેના ભાગરુપે વિધાનસભાની ચૂંટણીને લઈ PM મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન ગઇકાલે વલસાડમાં જંગી સભા સંબોધી હતી. ત્યારબાદ આજે સૌ પ્રથમ વેરાવળ ત્યારબાદ ધોરાજી અને અમરેલીમાં સભા સંબોધી હતી. જ્યાં માનવ મેદની ઉમટી પડી હતી.
કોંગ્રેસને વિકાસની પરિભાષાની જ ખબર નથી : મોદી
PM મોદીની અમરેલીમાં જનસભા દરમિયાન જણાવ્યું હતું કે, અમરેલીમાં છેલ્લા 4 થી 5 વર્ષથી સારો વરસાદ હોવા છતાં ગુજરાતને પાણીદાર બનાવવા પાઈપલાઈનથી પાણી પહોચાડવા સહીત સિંચાઈ યોજનાઓ માટે કામો કર્યા છે. ભૂતકાળમાં પાણી માટે અમરેલી વલખા મારતુ હતું. જેને લઇને હાલ સિચાઈની પુષ્કળ સુવિધા ઊભી કરાઇ છે. લોકો ગામડે પછા આવવાનુ પસંદ કરતા ન હતા ત્યારે સરકારે ગામડાઑમાં સુવિધા ઊભી કરાવી ગામડાઓને બચાવી લીધા હોવાનું PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. વધૂમાં કોંગ્રેસનો એક માણસ તમારું ભલું નહીં કરી શકે, તમારો વોટ શું કામ બગાડો છો તેમ કહીને મોદીએ કોંગ્રેસને વિકાસની પરિભાષાની જ ખબર ન હોવાનું જણાવી લોકોને કોંગ્રેસ પાસે અપેક્ષા ન રાખવાનું કહ્યું હતું.
20 વર્ષમાં અમરેલીમાં મોટા પાયે બદલાવ આવ્યા
સિંચાઇની સુવિધાને લઇને ખેડૂતો હવે ત્રણ-ત્રણ પાક લઇ રહ્યો છે. જેના પરિણામે ગુજરાતમાં શાકભાજી, ફળોનુ ઉત્પાદન વધ્યુ છે. એટલું જ નહિ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી સારી કમાણી રોળી રહ્યા છે. ઉપરાંત જાફરાબાદની બાજરી દુનિયામાં આવતા વર્ષે ડંકો વગાડશે. તેમ પણ અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેર્યું હતું. વધુમાં PM મોદીએ વધુમાં કહ્યું જતું કે છેલ્લા 20 વર્ષમાં અમરેલીમાં મોટા પાયે બદલાવ આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરના ઉધોગમાં અમરેલીનો સમાવેશ થઇ રહ્યો છે.