બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વિધવા પુત્રવધુનું કન્યાદાન કરી સાસુ-સસરાએ નિભાવી મા-બાપની જવાબદારી, લગ્ન મંડપમાં જોવા મળ્યા અનોખા દ્રશ્યો
Last Updated: 11:04 AM, 21 April 2025
અંબાજીમાં એક અકસ્માતમાં જુવાનજોધ દિકરો ગુમાવનાર દંપતિએ નાની ઉંમરે વિધવા થયેલી પુત્રવધુના પુનઃ લગ્ન કરાવી સમાજમાં ઉમદા દાખલો બેસાડ્યો છે.
ADVERTISEMENT
દીકરીનું કન્યાદાન તો સૌ કોઇ કરે છે પરંતુ પુત્રવધુને દીકરી માની તેનું કન્યાદાન કરવું ખૂબ મોટી વાત છે.. કુદરતની કઠોર ઠોકર લાગતા અંબાજીમાં એક દંપતીએ પોતાનો દીકરો ગુમાવ્યો... જુવાનજોધ દિકરાનું મોત થતા દીકરાની વહુ ઉપર પણ આભ તૂટી પડ્યું.નાની ઉમરે વૈધવ્ય આવ્યું. પહાડ જેવી જિંદગી એકલા કાપવાની હતી.. પુત્રવધુનું આ દુખ સાસુ-સસરાથી ન જોવાયું અને તેમણે નક્કી કર્યુ કે સારુ પાત્ર જોઇને તેઓ પુત્રવધુના લગ્ન કરાવશે..તેને પુત્રવધુના સ્વરૂપમાં દિકરી માની છે તો ખરા અર્થમા દિકરી બનાવી તેનું કન્યાદાન કરાવશે.. અને તેમણે પુત્રવધુના પુનઃ લગ્ન કરાવીને તેને નવી જિંદગી આપી.
ADVERTISEMENT
આ પણ વાંચો- 5 વર્ષ બાદ પુન: ગુજરાતમાં કરાશે એશિયાઈ સિંહોની કરાશે વસ્તી ગણતરી, અપનાવાશે આ પદ્ધતિ
સિદ્ધાર્થ રાણા અને ક્રિષ્નારાણાના લવ મેરેજ થયા હતા, અને પરંતુ સિદ્ધાર્થનુ અકસ્માતમાં મોત થયું અને ક્રિષ્ના સાવ એકલી પડી ગઇ. આખરે સસરા પ્રવિણસિંહ રાણાએ પુત્ર વધુના લગ્ન કરાવવાનું નક્કી કર્યું, તેમના આ નિર્ણયથી નાની ઉંમરે વિધવા બનેલી ક્રિષ્નાની જિંદગીમાં નવા રંગ ઉમેરાયા છે.
આ ઘટનાએ એ વાત સાબીત કરી છે કે સાસુ-સસરા પણ પુત્રવધુને દિકરી બનાવીને તેને દિકરી જેવો જ પ્રેમ અને લાગણી આપી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.