કોરોનાથી મૃત્યુ પામનારા લોકોને સરકાર દ્વારા 50 હજારની સહાયની વાત કરવામાં આવી છે. જોકે અમદાવાદમાં તંત્રએ મૃત્યુંઆંક 3357 આપ્યો હતો. પરંતુ તેની સામે અત્યાર સુધીમાં 3600 લોકોએ અરજી કરી છે. જેથી આ મામલે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.
મોતના આકડા સામે અરજીની સંખ્યાની વધી ગઈ
અમદાવાદમાં તંત્રએ કોરોના મૃતકોનો 3357નો આકડો જાહેર કર્યાો હતો
જોકે સહાય મેળવવા માટે 3600 લોકોએ અરજી કરી
કેન્દ્ર સરકાર દ્વારા કોરોના મૃતકોના પરિવારને 50 હજારની સહાય આપવાની વાત કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં પણ લોકોએ આ સહાય માટે ફોર્મ ભર્યા છે. આપને જણાવી દઈએ કે તંત્ર દ્વારા મોતનો આકડો 3357નો આપવામાં આવ્યો હતો. પરંતુ સહાય ફોર્મ માટે 3600 અરજી આવી છે. એટલેકે સરકારે આપેલા આકડાઓ કરતા વધું લોકોના મોત થયા છે. તે સવાલ લોકોના મનમાં ઉઠી રહ્યો છે .
મૃતકનો કોરોના ટેસ્ટ હોવો જરૂરી
સરકાર દ્વારા જે પણ લોકોને સહાય આપવામાં આવશે તેને લઈને અમુક સુધારાઓ કરવામાં આવ્યા છે. જેમા મૃતકનો કોરોના ટેસ્ટ હોવો જરૂરી છે. સાથેજ દર્દીનું મૃત્યું પણ 30 દિવસની અંદર થયું હોય તોજ તેને કોરોના ડેથ તરીકે માન્યતા આવામાં આવશે. આ સિવાય કોરોનાની સારવાર ચાલતી વખતે જેનું મોત થયું હશે તેને પણ કોરોના ડેથ તરીકે ગણવામાં આવશે.
તંત્રને કુલ 3600 અરજી મળી
મ્યુનિસીપાલટી દ્વારા શહેરના 60 સિવિક સેન્ટર પર 250 લેખે 15 હજાર પરિશિષ્ટ-1 અરજી ફોર્મ મુકાયા હતા. જેનું વેચાણ પહેલાજ દિવસે થઈ ગયું છે. જોકે અરજીઓની વાત કરીએ તો કુલ 3600 અરજી તંત્રને મળી છે. જોકે તેની સામે તંત્ર દ્વારા 3357 મૃતકોના આંકડો આપવામાં આવ્યો હતો. જેથી આ મુદ્દે હવે ઘણા સવાલો ઉઠી રહ્યા છે. જેમા પહેલો સવાલ તો એ ઉઠી રહ્યો છે કે શું મોતના આકડા સામે ફોર્મ વધારે લોકોએ ભરી કાઢ્યા છે ?
છેલ્લા 24 કલાકમાં 13 કેસ નોંધાયા
આપને જણાવી દઈએ કે હાલ શહેરમાં કોરોનાના કેસ ઘણા ઓછા છે. સંક્રમણ ઘણા અંશે કાબૂમાં આવી ગયું છે જોકે સાવધાની રાખવી હજું પણ જરૂરી છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં કુલ 13 કેસ નોંધાયા છે જેની સામે 11 દર્દીઓ સાજા પણ થયા છે. તે સિવાય 21 હજાર કરતા પણ વધુ લોકોએ વેક્સિન પણ મુકાવી છે.
તંત્ર સામે ઉઠ્યા ગંભીર સવાલો
ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા હાલ સંક્રમણને કાબૂ લેવા માટે વેક્સિનેશન પર ઘણો ભાર આપવામાં આવ્યો છે. પરંતુ મૃતકોના આંકડાની સામે અરજી કરનારા લોકોની સંખ્યા વધી ગઈ છે. જેથી મોતના આકડા સામે હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.