પાલડી સ્થિત ધરણીધર વિસ્તારમાં ઘરફોડ ચોરીની ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે
અમદાવાદમાં ધોળા દિવસે તસ્કરોનો તરખાટ
બંધ મકાનમાંથી તસ્કરોએ કરી 21 લાખની ચોરી
પરિવાર મંદિરે દર્શન કરવા ગયો અને થઈ ચોરી
અમદાવાદમાં ધોળા દિવસે ચોરીની ઘટના સામે આવી છે. પાલડી સ્થિત ધરણીધર વિસ્તારમાં ઘરફોડ ચોરીની ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. દેરાસર પાસે આવેલા મકાનમાં લાખો રૂપિયાની સામે આવી જેમાં તસ્કરોએ રોકડ સહિત સોના,ચાંદીના દાગીના મળીને કુલ 21 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
પરિવાર મંદિરે દર્શન કરવા ગયો અને થઈ ચોરી
પરિવાર જ્યારે મંદિરે દર્શન કરવા ગયો ત્યારે તસ્કરોએ હાથ ફેરો કરી પલાયન થઈ ગયા હતા. મહત્વનું છે કે ધોળે દિવસે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતુ તસ્કરો મકાનનું તાળુ તોડીને રોકડ તેમજ ઘરેણા સહિત 21 લાખ રૂપિયા ચીજવસ્તુઓ લઈ ફરાર થઈ ગયા હતા.
સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી
જો કે સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે ફરિયાદને આધારે તપાસ હાથ ધરી છે. પોલીસે ચોરોને ઝડપી પાડવા માટે FSL, ડોગ સ્ક્વોર્ડની મદદ પણ લઈ રહી છે. અગાઉ પણ શહેરમાં ચોરીની અનેક ઘટનાઓ સામે આવી છે કોરોના કાળમાં લોકોનો ધંધા ઉદ્યોગ પર માઠી અસર પડી છે, મોંઘવારી અને પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ચોરીની ઘટનાઓને લઈ શહેરીજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. જો કે ચોરીની ઘટના બાદ પોલીસે શહેરમાં તરકાટ મચાવનાર ગેંગને શોધવા ચક્રોગતિમાન કર્યા છે.