અમદાવાદમાં કિશોરોને વેક્સિન આપવામાં ધાંધિયા સામે આવ્યા છે. જેમા હાલ શહેરમાં વેક્સિનનો પુરતો સ્ટોક નથી આવી રહ્યો જેના કારણે બાળકો પણ વેક્સિનથી વંચિત રહી રહ્યા છે.
અમદાવાદમાં કિશોરોને વેક્સિન આપવામાં ધાંધિયા
વેક્સિનનો જથ્થો ન આવાતા બાળકો વેક્સિનથી વંચિત
કોવેક્સિનનો જથ્થો પુરતા પ્રમાણમાં નથી આવતો
15 થી 18 વર્ષના બાળકોને વેક્સિન આપવાની શરૂઆત છેલ્લા કેટલાય સમયથી કરી દેવામાં આવી છે. ગત 3 જાન્યુઆરીથી સરકાર દ્વારા બાળકોને વેક્સિન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં પણ બાળકોને વેક્સિન આપવાનું શરૂઆત ક્યારની કરી દેવામાં આવી છે.પરંતું હવે તેમા પણ ધાંધિયા જોવા મળી રહ્યા છે.
બાળકો વેક્સિનથી વંચિત
સાંભળીને આપને નવાઈ લાગશે કે અમદાવાદ જેવા શહેરમાં પણ વેક્સિનનો સ્ટોક પુરતા પ્રમાણમાં નથી. જેના કારણે બાળકો નિરાશ થઈ ગયા છે. વેક્સિનનો જથ્થો ન આવતા બાળકો વેક્સિનતી વંચિત રહી રહ્યા છે.
બીજો ડોઝ આપવાનું પણ શરૂ
સમગ્ર મામલે એવી માહિતી સામે આવી છે કે વેક્સિનનો પુરતા પ્રમાણમાં જથ્થો ન હોવાને કારણે બાળકો વેક્સિનથી વંચિત રહી રહ્યા છે. જેમા કોવેક્સિનનો જથ્થો પુરતા પ્રમાણમાં નથી આવી રહ્યો જેથી બાળકો વેક્સિનથી વંચિત રહી રહ્યા છે. એક તરફ વેક્સિનનો બીજો ડોઝ આપવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને બીજી તરફ આવા ધાંધિયા પણ જોવા મળી રહ્યા છે.
એક કલાકમાં પતી જાય છે 10 હજાર ડોઝ
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 10 હજાર વેક્સિનના ડોઝ પણ ગણતરીના કલાકમાં પૂર્ણ થઈ જાય છે. જેના કારણે જે બાળકો વેક્સિન નથી લઈ શકતા તેઓ ઘણા હેરાન થતા હોય છે. બાળકો વેક્સિનથી વંચિત રહે તે ઘણી ગંભીર સમસ્યા છે. કારણકે ટૂંક સમયમાં શહેરમાં શાળાઓ પણ ખોલવામાં આવશે. જેથી દરેક બાળકે વેક્સિન લીધી હશે તો કોરોના સામે બાળકો લડી શકશે.