અમદાવાદમાં એક વેપારીએ ભાડે આપેલી દુકાનોના ભાડુઆત છેલ્લા કેટલાય સમયથી દુકાનો ખાલી ન કરતા અને માલિકનો આપઘાત, સંજયભાઈને ધમકાવતા હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે
વેપારીએ કર્યો આપઘાત
દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો
સુસાઇડ નોંટમાં 5 લોકોના નામ ખુલ્યા
નવરંગપુરામાં હાર્ડવેરના વેપારીએ કેનાલમાં પડતુ મુકીને આપઘાત કરી લીધો છે. રખિયાલમાં આવેલી એસ્ટેટની જમીન પચાવી લેતા વેપારીએ આપઘાત કર્યો છે. પોલીસે 6 લોકો વિરૂધ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી છે. આ વેપારી નવરંગપુરામાં રહેતા હતાં અને રખિયાલમાં હાર્ડવેરનો ધંધો કરતા હતાં. મૃતક સંજયભાઈ શર્માએ કઠલાલ પાસેની કેનાલમાં કૂદીની આપઘાત કરી લીધો છે. નવરંગપુરા પોલીસે 6 વ્યક્તિઓ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રખિયાલ વિસ્તારમાં આવેલા એસ્ટેટમાં અન્ય કેટલીક દુકાનો પણ સંજયભાઈની માલિકીની છે અને હાલ તે ભાડે આપેલી હોવાનું સામે આવ્યું છે. ભાડે આપેલી દુકાનોના ભાડુઆત છેલ્લા કેટલાય સમયથી દુકાનો ખાલી કરતા ન હતા અને માલિક સંજયભાઈને ધમકાવતા હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. સંજયભાઈના આપઘાત બાદ પરિવારજનોએ તેમના રૂમમાં તપાસ કરતા એક ચોપડીમાં સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં રમેશ શાહ, સંદીપ શાહ, બાબુભાઈ ચાવલા, ભરત ચાવલા તથા મહંમદ ફૈઝાંન શેખ અને અમિત નામના વ્યકિતનો ઉલ્લેખ કર્યો હતો. આ સ્યુસાઈડ નોટના આધારે પોલીસે મૃતકની પત્નીની ફરિયાદ લઈને 6 આરોપીઓ વિરૂધ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધીને આરોપીઓની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે.