ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા 4 જુલાઈએ નીકળવાની છે. તે પૂર્વે આજે જમાલપુરમાં આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરમાં નેત્રોત્સવની વિધિ કરવામાં આવી. વૃંદાવન અને મથુરાથી આ નેત્રોત્સવ વિધિ માટે સાધુ સંતો આવી ગયા છે. આ દરમિયાન નિજ મંદિરમાં મોટા પ્રમાણમાં ભંડારો થશે. અને મોટી સંખ્યામાં ભક્તો ભંડારાનો લાભ લેશે.