બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:02 PM, 16 January 2025
ઉત્તર પ્રદેશમાં ચોરોમાં પોલીસનો ડર દૂર થઈ રહ્યો છે. તેનું તાજુ ઉદાહરણ દેવરિયામાં જોવા મળ્યું છે. અહીંના એક મંદિરમાં ચોરોએ દાનપેટી પર હાથ સાફ કરી નાંખ્યો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ સમગ્ર મામલો રુદ્રપુર કોતવાલી વિસ્તારના રાનીહવાનો છે. અહીં કેટલાક ચોર હનુમાન મંદિરમાં ઘુસ્યા અને દાનપેટી લઈ ગયા. હાલ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ સમગ્ર મામલો છે
મીડિયા રિપોર્ટ અનુસાર, મંદિરના પૂજારીએ પોતાની ફરિયાદમાં કહ્યું કે આજે સવારે જ્યારે મંદિર ખોલવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે ત્યાંની દાનપેટી ગાયબ હતી. જ્યારે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા તો મામલો પ્રકાશમાં આવ્યો કે બે ચોર મંદિરમાં ઘૂસ્યા. પહેલા બંને મંદિર પરિસર તપાસે છે કે ત્યાં કોઈ છે કે કેમ. જ્યારે તેમને ખાતરી થાય છે કે મંદિરમાં કોઈ નથી, ત્યારે તેઓ બંને દાનપેટી લઈને ભાગી જાય છે. ચોરો મંદિરની બાઉન્ડ્રી વોલને પણ સ્કેલિંગ કરતા જોઈ શકાય છે.
ADVERTISEMENT
ઘટના સીસીટીવીમાં કેદ
સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી બિનદાસ્ત રીતે ચોર બુધવારે રાત્રે 2.45 વાગ્યાની આસપાસ મંદિરમાં પ્રવેશ્યા અને મંદિરમાંથી દાનપેટી લઈ ગયા. મંદિર પ્રશાસને પોલીસને ફરિયાદ આપી છે અને આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તમને જણાવી દઈએ કે યુપીમાં આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં ચોરો મંદિરોની દાન પેટીઓ લઈ ગયા છે. હવે ચોરીની ઘટના સામે આવ્યા બાદ સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠવા લાગ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ વૈષ્ણોદેવીની યાત્રાએ નીકળતા પહેલા આ બાબતને ખાસ નોટ કરી લેજો, વંદે ભારત આવી મોટી અપડેટ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કર્મનો સિદ્ધાંત / પાકિસ્તાનમાં પણ પહેલગામ જેવો જ હુમલો, નાગરિકોને નામ પુછીને ઠાર માર્યા
ADVERTISEMENT