2010માં નિત્યાનંદ વિરુદ્ધ તેના જ ડ્રાઈવર લેનિનની ફરિયાદના આધારે બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો, જોકે હવે ફરી એકવાર સેશન્સ કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું
દુષ્કર્મ કેસમાં બેંગલુરુની સેશન્સ કોર્ટે જાહેર કર્યું બીન જામીનપાત્ર વોરંટ
નિત્યાનંદ વિરુદ્ધ 2010માં ડ્રાઈવરની ફરિયાદના આધારે બળાત્કારનો કેસ નોંધાયો હતો
દુષ્કર્મ કેસમાં કોર્ટે દેશ છોડીને ભાગેલા નિત્યાંનદ વિરૂદ્ધ બીન જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. બેંગલુરુના રામનગરાની સેશન્સ કોર્ટે ગુરુવારે વિવાદાસ્પદ ધાર્મિક નેતા નિત્યાનંદ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું. 2010ના રેપ કેસમાં ત્રીજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. કોર્ટે અગાઉ પણ વોરંટ જાહેર કર્યું હતું, પરંતુ પોલીસ નિત્યાનંદને શોધવામાં નિષ્ફળ રહી હતી.
બેંગલુરુના રામનગરાની સેશન્સ કોર્ટે ગુરુવારે વિવાદાસ્પદ ધાર્મિક નેતા નિત્યાનંદ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું. જોકે આ મામલો પહેલેથી જ કોર્ટમાં સબ-જ્યુડીસ છે અને ત્રણ પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરવામાં આવી છે, પરંતુ આરોપી નિત્યાનંદની ગેરહાજરીમાં ત્રણ વર્ષથી ટ્રાયલ પેન્ડિંગ છે. નિત્યાનંદે 2019થી તેમની સામે જારી કરાયેલા કોઈપણ સમન્સનો જવાબ આપ્યો નથી. આજે જારી કરાયેલ બિનજામીનપાત્ર વોરંટ 23 સપ્ટેમ્બર સુધીમાં પરત કરી શકાશે.
નોંધનીય છે કે, નિત્યાનંદ વિરુદ્ધ 2010માં તેના ડ્રાઈવર લેનિનની ફરિયાદના આધારે બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો. નિત્યાનંદની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. લેનિનની અરજી બાદ 2020માં ફરીથી જામીન રદ કરવામાં આવ્યા હતા. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, નિત્યાનંદ દેશ છોડીને ભાગી ગયો હતો.