અયોધ્યામાં 492 વર્ષ પછી ભગવાન રામને ચાંદીના હિચકે બેસાડવામાં આવ્યા છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાનને 21 કિલોના ચાંદીના હિચકે બેસડતા ભક્તોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
અયોધ્યામાં રામ મંદિર ટ્સ્ટ દ્વારા 492 પછી ભગવાન રામને 21 કિલોના ચાંદીના હિચકા પર બિરાજમાન કરવામાં આવ્યા છે. 90 દાયકામાં ટેંટમાં રહેનારા ભગવાન રામને હવે 28 વર્ષ પછી ટ્સ્ટ દ્વારા મંદિરમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. ટ્રસ્ટ દ્વારા સંગીત અને ઝુલનોત્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભગવાન રામને 21 કિલોના ચાંદી હિંચકે બિરાજમાન કરાયા.
ટ્રસ્ટ દ્વારા ચાંદીનો હિચકો બનાવાયો
પ્રધાન પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે જ્યારે રામ ભગવાન વિવાદિત બંધારણમાં હતા તે સમયે પણ સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવતો હતો. પરંતુ તે જગ્યા ધ્વંસ થઈ જતા બધું બંધ થઈ ગયું હતું. આ વર્ષે ટ્રસ્ટ દ્વારા રામલલાને ચાંદીનો હિચકો બનાવી આપવામાં આવ્યો છે. જેથી લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની ત્રીજે ઉજવણી
અયોધ્યામાં દર વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની ત્રીજે ઝૂલન મહોત્સવ યોજવામાં આવે છે. જેમા અયોધ્યાના દરેક પ્રમુખ મંદિરોથી લઈ વિગ્રહ મણિ પર્વત સુધી પાલખીમાં લોકો જાય છે. જ્યા લોકો ભગવાન રામને ઝુલો ઝુલાવીને આનંદ માણતા હોય છે.
ભક્તોમાં આનંદનો માહોલ
ઉલ્લેખનીય છે કે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષે ત્રીજના દિવસે આ મહોત્સવનું આયોજન કરાવામા આવે છે. ભગવાનની કૃપાથી અહીયા ઝૂલો ઝુલ્યો બાદ અહીયા પૂરા દેશમાં ઝૂલન મહોત્સવ શરૂ થયા છે. જે જોવા માટે અયોધ્યામાં લાખો લોકો આવતા હોય છે. સાથેજ લોકો હર્ષોલ્લાસ સાથે મહોત્સવની ઉજવણી કરતા હોય છે.