હાલમાં 2.5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઇ ટેક્સ ચૂકવવું નહોતું પડતું. ટેક્સ માફની સીમાને છેલ્લે 9 વર્ષ પહેલા વધારવામાં આવી હતી. હવે 2023નાં બજેટમાં ટેક્સ પેયર્સ માટે મોટી ખબર આવી છે.
2023નાં બજેટમાં ટેક્સ પેયર્સને મળી શકે છે ગુડ ન્યૂઝ
ટેક્સ માફીની સીમા 2.50 લાખથી વધી શકે છે
છેલ્લાં 9 વર્ષોથી ટે્કસમાં છૂટની લિમિટ વધી નથી
નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ 2023ને લઇને સારાં સમાચાર આપી શકે છે. સરકાર આવનારાં બજેટમાં ટેક્સ મુક્તિની સીમાને વધારી શકે છે. જો સરકાર એવું કરે છે તો દેશનાં મધ્યમ વર્ગ માટે આ મોટી રાહત રહેશે. ટેક્સની સીમાને છેલ્લે 2014માં વધારવામાં આવી હતી. ત્યારે 2 લાખની લિમિટને વધારીને 2.50 લાખ કરવામાં આવી હતી. છેલ્લાં 9 વર્ષોથી ટે્કસમાં છૂટ વધારવામાં આવી નથી.
મધ્યમ વર્ગને મળી શકે છે સારાં સમાચાર
IANSએ સૂત્રો થકી જણાવ્યું કે સરકાર 2023-24નાં બજેટમાં ટેક્સ છૂટની હાલની સીમા 2.50 લાખથી વધારીને 5 લાખ કરી શકે છે. મોદી સરકારનાં કાર્યકાળનું આ છેલ્લું બજેટ રહેશે. વર્ષ 2023માં ચૂંટણીઓ થશે તેથી આશા છે કે નાણામંત્રી ટેક્સ લિમિટને વધારીને મધ્યમ વર્ગને સારાં સમાચાર આપી શકે છે.
2.50 લાખ સુધીની આવક પર ટેક્સ ફ્રી
જો ટેક્સ લિમિટને વધારવામાં આવે છે તો તેનો સીધો ફાયદો નોકરીકર્તાઓ અને નાનાં વ્યવસાય કરતાં લોકોને થઇ શકે છે. માર્ચ 2022માં નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે 2020-21 અસેસમેન્ટ વર્ષ એટલે કે નાણાકીય વર્ષ 2019-20માં કુલ 8,13,22,263 લોકોએ ઇનકમ ટેક્સ ભર્યું છે. સૂત્રોએ જણાવ્યું છે કે જો ટેક્સ પેમેન્ટની સીમાને વધારવામાં આવે છે તો સામાન્ય માણસનાં હાથમાં વધુ પૈસા રહેશે જેના કારણે મોંઘવારીમાં પણ પરોક્ષરૂપે ઘટાડો થઇ શકે છે.