જ્યારે શિવસેનાએ જ હનુમાન ચાલીસાને બેન કરી દીધી તો હવે એ શિવસેનામાં શિવ નથી બચી શકતા - કંગનાનો આ વિડીયો સોશ્યલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે.
કંગના રનૌત આ રાજકીય સંકટો વચ્ચે શિવસેના અને ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કરતાં એક વિડીયો બનાવ્યો
જ્યારે પાપ વધી જાય છે ત્યારે સર્વનાશ થવો નિશ્ચિત છે અને અંતે એ પછી નવું સર્જન થાય છે- કંગના
કંગનાનો આ વિડીયો સોશ્યલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે.
મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ આવ્યા પછી ઉદ્ધવ ઠાકરે એ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. એક બાજુ ઉદ્ધવ ઠાકરે હવે શિવસેનાને બચાવવાના પ્રયાસો કરી રહ્યા છે તો બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસ આગળની રાજનીતિ ઘડવામાં લાગી ગયા છે. મહારાષ્ટ્રમાં ચાલતા રાજકીય સંકટ વચ્ચે શિવસેનાને લઈને કંગના કેવી રીતે ચૂપ રહી શકે? કંગના રનૌત આ રાજકીય સંકટો વચ્ચે શિવસેના અને ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કરતાં એક વિડીયો બનાવ્યો છે. જે હાલ ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ સાથે જ કંગનાએ આ વિડીયો પર કેપ્શન પણ આપ્યું છે. ચાલો તમને જણાવીએ કે કંગનાએ શું કહ્યું છે ઉદ્ધવ ઠાકરેના રાજીનામા પર..
મહારાષ્ટ્રના સીએમ પદ પરથી રાજીનામું આપવા પર ઉદ્ધવ ઠાકરેની કટ્ટર દુશ્મન કહેવાતી કંગના રનૌતે તેના વિડીયો માં કહયું છે કે, '1975 પછી આ ભારતના લોકતંત્રનો સૌથી મહત્વપૂર્ણ સમય છે. વર્ષ 1975 માં લોકનેતા જે પી નારાયણની એક લલકારથી રાજકીય ગાદી છોડવા માટે લોકો નારા લગાવતા અને ઘણા રાજકીય નેતાઓ રાજીનામાં આપી દેતા. વર્ષ 2020માં મેં કહ્યું હતું કે મને લોકતંત્ર પર વિશ્વાસ છે અને સત્તાના ઘમંડમાં આવીને જે લોકો આ વિશ્વાસ તોડી દે છે, એમનો ઘમંડ તૂટવો પણ નિશ્ચિત હોય છે.' કંગનાએ આ એક મિનિટના વિડીયોમાં બીજી ઘણું કહ્યું છે અને અંતે આ વિડીઓને કેપ્શન આપતા લખ્યું કે 'જ્યારે પાપ વધી જાય છે ત્યારે સર્વનાશ થવો નિશ્ચિત છે અને અંતે એ પછી નવું સર્જન થાય છે.'
જો કે આ વિડીયોમાં કંગનાએ આગળ એમ પણ કહ્યું હતું કે 'જે લોકો સત્તાના ઘમંડમાં આવીને લોકોનો વિશ્વાસ તોડે છે એમનું ઘમંડ પણ એકના એક દિવસ તૂટે જ છે. આ કોઈ વ્યક્તિને શક્તિ નથી, આ શક્તિ એક સાચા ચરિત્રની છે. બીજી એ વાત કે હનુમાનજીને શિવના 12 માં અવતાર માનવામાં આવે છે અને જ્યારે શિવસેનાએ જ હનુમાન ચાલીસાને બેન કરી દીધી તો હવે એ શિવસેનામાં શિવ નથી બચી શકતા. હર હર મહાદેવ, જય હિન્દ, જય મહારાષ્ટ્ર..' કંગનાનો આ વિડીયો સોશ્યલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે.