2017 ચૂંટણીમાં NOTAએ રાજ્યની 182માંથી 30 બેઠકો પર જીત અને હારનો અંકગણિત બગાડ્યું હતું અને તેમાંથી 10 બેઠકો પર આજે પ્રથમ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે.
આ ચૂંટણીમાં એ મતદાર પાસે NOTAનો ઉપયોગ કરવાનો વિકલ્પ છે
2017ની ચૂંટણીમાં આ બેઠક પર જીત-હારના અંતર કરતાં વધુ વોટ નોટાને મળ્યા હતા
આ સીટો પર સૌથી વધુ મતદારોએ નોટા પર વોટ આપ્યો
ક્યારથી શરૂ થયો હતો NOTA નો ઉપયોગ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. આજે રાજ્યની 182 બેઠકોમાંથી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. રાજ્યના 19 જિલ્લાના 25 હજાર 430 મતદાન મથકો પર પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું છે. પ્રથમ તબક્કામાં 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો સાંજના 5 વાગ્યા સુધી પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરશે. જો કે આ દરેક ચૂંટણીની જેમ આ ચૂંટણીમાં એ મતદાર પાસે NOTAનો ઉપયોગ કરવાનો વિકલ્પ પણ છે.
જો આપણે 2017 ચૂંટણીની વાત કરીએ તો તે ચૂંટણીમાં NOTAએ રાજ્યની 182માંથી 30 બેઠકો પર જીત અને હારનો અંકગણિત બગાડ્યું હતું. જો કે તેમાંથી 10 બેઠકો પર આજે પ્રથમ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. એ પ્રથમ તબક્કાની બેઠકો છે કપરાડા, ડાંગ, બોટાદ, વાંકાનેર, તળાજા, પોરબંદર, રાજકોટ ગ્રામ્ય, જામજોધપુર, વાગરા અને દાસદા. વર્ષ 2017માં આ બેઠકો પર નોટાએ જીત-હારનું ગણિત બગાડ્યું હતું.
આજે આપણે એ 30 સીટો વિશે વાત કરશું જ્યાં નોટાએ જીત-હારનું ગણિત બગાડ્યું હતું, જેમાંથી અમુક બેઠકો પર જીત અને હારનો અંતર એક હજાર સુધી પણ નહતો પહોંચ્યો અને NOTAમાં હજારો મત પડ્યા હતા. એવી કઈ બેઠકો હતી જ્યાં સૌથી વધુ મતદારોએ NOTA નો ઉપયોગ કર્યો હતો, ચાલો જાણીએ..
પ્રથમ તબક્કામાં આ બેઠકો NOTAએ બગાડી?
જણાવી દઈએ કે 2017ની ચૂંટણીના પ્રથમ તબક્કામાં એવી 10 બેઠકો હતી જ્યાં NOTAએ ઉમેદવારોની જીત અને હારને બગાડી હતી. આ દસ બેઠકો કપરાડા, ડાંગ, બોટાદ, વાંકાનેર, તળાજા, પોરબંદર, રાજકોટ ગ્રામ્ય, જામજોધપુર, વાગરા અને દસાડા હતી અને એ બેઠકો પર NOTA ને જીત અને હારના માર્જિન કરતા વધુ મત મળ્યા હતા. આ દસ બેઠકોમાંથી છ બેઠકો એવી હતી કે જ્યાં જીત કે હારનું માર્જિન 1,000થી ઓછું હતું અને ચાર બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારોની જીત અને હાર વચ્ચે એક હજારથી બે હજાર મતનો તફાવત હતો પણ તેની સામે અહીં નોટાને તેના કરતા વધુ મત મળ્યા હતા. જણાવી દઈએ કે આ દસ બેઠકોમાંથી છ બેઠક કોંગ્રેસના ખાતામાં ગઈ હતી એનએ નોટાથી પ્રભાવિત ચાર બેઠકો ભાજપે જીતી હતી.
જણાવી દઈએ કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોડવાડિયાની પોરબંદર બેઠક પણ આવી જ બેઠકોમાં સામેલ હતી. એ બેઠકમાં મોડવાડિયાને 1,855 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે પોરબંદર બેઠક પર 3,433 મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો હતો.
2017 માં એવી કેટલી સીટ હતી જ્યાં જીત-હારના અંતર કરતાં વધુ વોટ નોટાને મળ્યા હતા?
છેલ્લી ચૂંટણીમાં વિધાનસભા બેઠકોની એવી 30 બેઠકો હતી જ્યાં જીત-હારનું અંતર NOTA દ્વારા મળેલા મતો કરતાં ઓછું હતું. જેમાંથી 16 બેઠકો ભાજપ, 12 બેઠકો કોંગ્રેસ અને બે બેઠકો અપક્ષ ઉમેદવારોને જીત મળી હતી. જો કે સાત એવી બેઠકો હતી જ્યાં જીત-હારનું અંતર એક હજારથી ઓછું હતું એનએ આ તમામ બેઠકો પર NOTA પર હજારથી વધુ મત પડ્યા હતા. સાથે જ ત્રણ બેઠકો એવી હતી જ્યાં ત્રણ હજારથી વધુ લોકોએ NOTA પર મતદાન કર્યું હતું અને નવ બેઠકો પર જીત-હારનું અંતર એક હજારથી બે હજાર વચ્ચે હતું જેમાંથી આઠ સીટો પર જીત કે હારનું માર્જીન NOTA પર પડેલા વોટ કરતા ઓછું હતું. ઉપરાંત 11 બેઠકો એવી હતી જ્યાં જીત અને હારનું માર્જિન બેથી ત્રણ હજાર વચ્ચે હતું. આ દરેક બેઠકો પર NOTA પર પડેલા મતો જીત-હારના અંતર કરતાં વધુ હતા.
જો કે ખાસ વાત એ છે કે તેમાંથી છ બેઠકો પર જીત-હાર વચ્ચેનો તફાવત ત્રણથી ચાર હજારનો હતો. જણાવી દઈએ કે મોરવા હડફ બેઠક પરથી અપક્ષ ભૂપેન્દ્રસિંહ ખાંટ 4,366 મતોથી જીત્યા હતા એનએ એમને ભાજપના વિક્રમ સિંહ ડીંડોરને હરાવ્યા હતા. મોરવા હડફ બેઠક પર NOTA પર 4,962 મતો પડ્યા હતા એટલે કે જો NOTA પર પડેલા મત ભાજપના ઉમેદવારને આપવામાં આવ્યા હોત તો તેનું પરિણામ કઇંક બીજું જ હોત.
આ સીટો પર સૌથી વધુ મતદારોએ નોટા પર વોટ આપ્યો?
દાંતા: ગઈ વિધાનસભની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લાની દાંતા વિધાનસભા બેઠક એવી હતી જ્યાં સૌથી વધુ મતદારોએ NOTA નો ઉપયોગ કર્યો હતો. 2017 માં આ બેઠકના 6,461 મતદારોએ NOTA પર મતદાન કર્યું હતું.
જેતપુર: લિસ્ટમાં બીજો નંબર જેતપુર બેઠકનો છે જ્યાં NOTA પર સૌથી વધુ મતદાન થયું હતું. ત્યાં 6,155 મતદારોએ NOTA પર મતદાન કર્યું હતું.
હાલોલ: પંચમહાલ જિલ્લાની હાલોલ બેઠકમાં પણ NOTAનો વ્યાપક ઉપયોગ થયો હતો અને ત્યાં 6,052 મતદારોએ NOTA નો ઉપયોગ કર્યો હતો.
ક્યારથી શરૂ થયો હતો NOTA નો ઉપયોગ?
જણાવી દઈએ કે ભારતમાં NOTAનો ઈતિહાસ એક દાયકા પણ જૂનો નથી. નોટાના શરૂઆતની વાત કરી 27 સપ્ટેમ્બર 2013ના રોજ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને EVM મશીનોમાં બટન આપવાનો આદેશ આપ્યો હતો અને એ આદેશ દ્વારા કોર્ટે કહ્યું હતું કે "ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં" મત આપવાનો અધિકાર ચૂંટણીમાં લાગુ થવો જોઈએ. આદેશનું પાલન કરવા માટે ચૂંટણી પંચે મતદારોને NOTA નો ઉપયોગ કરવાની મંજૂરી આપવા માટે 'NOTA' વિકલ્પ માટે એક વિશેષ પ્રતીક રજૂ કર્યું હતું એનએ આ ચિન્હ તમામ EVMની અંતિમ પેનલ પર જોવા મળે છે. જણાવી દઈએ કે નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાયેલી પાંચ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં 2013માં પહેલીવાર તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો NOTA પર સૌથી વધુ મતો મળ્યા હોય તો પણ બીજા સ્થાને રહેનાર ઉમેદવાર જીત્યો હોવાનું માનવામાં આવે છે. એટલે કે NOTA ઉમેદવારોની જીતને કોઈ અસર કરતું નથી.