પોલીસનો પણ ખૌફ ન હોય તેમ લૂંટારાઓ લૂંટને અંજામ આપી રહ્યા છે. પોલીસ તંત્રની કામગીરી પર સવાલ ઊઠી રહ્યા છે.
અમદાવાદ શહેરમાં વધુ એક લૂંટનો બનાવ
ગઈકાલે બાપુનગર તો આજે કાગડાપીઠમાં લૂંટ
આગડિયા પેઢીના કર્મીઓને ટાર્ગેટ કરી લૂંટ
ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં લૂંટની ઘટનાઓ જ્યારે સામાન્ય જ બનતી જાય છે. દિન દહાડે પોલીસનો પણ ખૌફ ન હોય તેમ લૂંટારાઓ લૂંટને અંજામ આપી રહ્યા છે. અમદાવાદમાં છેલ્લા બે દિવસથી આગડિયા પેઢીના કર્મીઓ લૂટારાઓના ટાર્ગેટ પર છે. ગઈકાલે અમદાવાદના બાપુનગરમાં 10 લાખની લૂંટનો બનાવ બન્યો હતો, જે બાદ આજે કાગડાપીઠમાં આગડિયા પેઢીનો કર્મી પાસેથી રૂ.16.29 લાખની લૂંટની ઘટના બની છે. ત્યારે પોલીસ તંત્ર પર અનેક સવાલો થઈ રહ્યા છે.
કાગડાપીઢમાં આગડિયા પેઢીના કર્મીની લૂંટ
બે દિવસમાં દિન દહાડે 25 લાખની લૂંટની ઘટનાથી અમદાવાદના આગડિયા પેઢીઓમાં ડરનો માહોલ પેદા થયો છે. આજે સોમવારે બનેલી લૂંટની ઘટના આગડિયા પેઢીના કર્મચારીઓ માટે લાલબત્તી સમાન છે. શ્યામ એજન્સીના આગડિયા પેઢીના કર્મીઓ જ્યારે રૂ.16.29 લાખની માતબર રકમ લઈ જઈ રહ્યા હતા ત્યારે આરોપીઓએ પીછો કરી રકમ લૂંટી લીધી હતી. કર્મચારી અનિલ વૈશ્ય અને યોગેશ પરમાર આ લૂંટનો ભોગ બન્યા હતા. કાગડાપીઢ પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ કરવામાં આવી છે. જે બાદ પોલીસ તપાસમાં ભોગ બનનારે આરોપીઓને ઓળખી લીધા છે. કર્મચારી બેંકમાં નાણા જમા કરાવવા જતો હતો ત્યારે કાગડાપીઢમાં આવેલા વાણિજ્ય ભવન પાસે આ લૂંટની ઘટનાને અંજામ અપાયો હતો.
લૂંટનો ભોગ બનનાર કર્મી આરોપીનો ઓળખીતો
શ્યામ એજન્સીના કર્મચારી સાથે લૂંટનો મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે જે આગડિયા પેઢીના કર્મચારીઓ માટે ખતરાનું નિશાન છે. પોલીસ તપાસમાં ભોગ બનનાર આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી જે બાદ ભોગ બનનાર અનિલ વૈશ્ય આરોપી રાજાનો ઓળખીતો હોવાનો ખૂલ્યું છે. 2 દિવસ પહેલા અમરાઇવાડીમાં કરેલી હત્યાનો આરોપી લુંટારો નીકળ્યો છે. યુવક અવધેશની હત્યા કરનાર રાજા ઉર્ફે ભાવેશ હત્યા કરી ફરાર હતો જે બાદ તેને પોતાના ઓળખીતાને લૂંટનો ભોગ બનાવ્યો હતો. આગડિયા કર્મી કર્મચારી અનિલ વૈશ્ય અને યોગેશ પરમારનો પીછો કરી લૂંટ કરી હતી. સમગ્ર મામલે કાગડાપીઠ પોલીસ તપાસ કરી રહી છે. એક દિવસમાં બે લૂંટથી ઘટના બનતા ક્રાઇમ બ્રાંચ પણ તપાસમાં જોતરાઈ છે.
બાપુનગરમાં આગડિયા પેઢીના કર્મીની લૂંટ
ગઈકાલે અમદાવાદના બાપુનગરમાં બાઇક પર આવેલા શખ્સોએ 10 લાખની લૂંટ કરી ફરાર થયા છે. લૂંટરૂઓ અગાઉથી પીછો કરી રહ્યા હોવાનું તપાસમાં ખૂલ્યું છે. બાપુનગર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. પણ બે દિવસમાં દિન દહાડે 2 આગડિયા પેઢીના કર્મીઓની લૂંટની ઘટનાએ અમદાવાદ પોલીસની કામગીરી પર સવાલ ઊભા કર્યા છે.