વીટીવી સાથે કરેલી એક્સક્લુઝિવ વાતમાં તેમને ભૂતકાળના રાજકારણ અંગે મોટો ખુલાસો કર્યો હતો
VTV સાથે ખાસ વાતચીતમાં નીતિન પટેલનો ખુલાસો
'વર્ષ 1996-97માં ભાજપ સરકારને બચાવવા મંત્રી પદ છોડવા તૈયાર હતો'
ભૂતકાળના રાજકારણની એ કહાની જે ક્યારેય નહીં સાંભળી હોય
ગુજરાતમાં જ્યારથી રૂપાણી સરકારે રાજીનામું આપી દીધું છે ત્યારથી લઈ ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી અને હવે મંત્રીમંડળને ફળવાયેલા ખાતા સુધી સતત રાજકારણમાં ગરમાવો આવતો જ ગયો છે. સૌથી વધુ ચર્ચિત નીતિન પટેલની નારાજગી રહીની વાતો રહી હતો કોઈ કહી રહ્યું હતુ કે તે શંકરસિંહ વાઘેલાને મળ્યા છે તો કોઈ કહી રહ્યું હતું તેમણે રાજ્યપાલની ઓફર કરાઇ છે. સમગ્ર વાત વચ્ચે મંત્રીમંડળની ખાતા ફાળવણી બાદ નીતિન પટેલ વીટીવી સાથે એક્સક્લુઝિવ વાત કરી હતી.અને ભૂતકાળ યાદ કરી 1996-97માં ભાજપ માટે મંત્રી પદ પણ છોડી દેવા તૈયાર હતા તે આખીય રસપ્રદ કહાનીને યાદ કરી હતી.
આત્મારામ કાકા માટે મંત્રી પદ છોડવા તૈયાર હતો નરેન્દ્રભાઈએ ના પાડી: નીતિન પટેલ
વર્ષ 1996- 97 વર્ષને યાદ કરી નીતિન પટલે ભૂતકાળમાં ઘટેલી મોટી ઘટના વીટીવી સમક્ષ રજૂ કરી હતી, તેમણે કહ્યું હતું કે મોટા મોટા નેતાઓ ભાજપ છોડી રાજપામાં જતાં રહ્યા હતા ભાજપની સરકાર ખતરામાં આવી ગઈ હતી, એ વખતે મહેસાણા જિલ્લા માંથી નીતિન પટેલને મંત્રી પદ મળ્યું હતું. અને ત્યારે તત્કાલીન ધારાસભ્ય આત્મારામ કાકા તેમનાથી નારાજ હતા અને તે પણ રાજપામાં જતાં રહ્યા હતા. ત્યારે મળેલી કેબિનેટ બેઠકમાં મૈ (નીતિન પટેલ) બધાની વચ્ચે ભાજપની સરકાર બચે એ માટે આત્મારામ કાકા માટે મંત્રી પદ છોડવાની જાહેરાત કરી હતી. આ વાત કરતાં ત્યારે હું ભાવુક થઈ ગયેલો ત્યારના સમાચાર પત્રોમાં આખોય લેખ લખાયો હતો જે આ વાત નો પુરાવો છે બાદમાં મારા નિવેદન પછી હાલના વડાપ્રધાન અને 1996 97માં ગુજરાત ભાજપના મહામંત્રી નરેન્દ્ર મોદી તેમણે ભેટી પડ્યા હતા અને મને નરેન્દ્રભાઇએ ત્યારે આશ્વાસન આપ્યું હતું અને કહ્યું હતું કે આવું કઈ જ કરવાની જરૂર નથી આપણે સાથે મળી આ પરીક્ષા પસાર કરીશું. હું તો વર્ષ 1996-97માં મંત્રી પદ છોડનારો વ્યક્તિ છું.
નવા કયા મંત્રીઓને લેવા એમાં કોઈ ચિત્રમાં આવ્યો નથી: નીતિન પટેલ
ગુજરાતના મંત્રીઑ પર પૂછવામાં આવેલા સવાલનો પણ તેમણે બહુ જ ચતુરાઇ પૂર્વક જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે યુવા મિત્રોને મોટી જવાબદારી અપાઈ છે. જોઈ શીખી ગુજરાતની જનતા માટે સારા નિર્ણય લે.મંત્રી મંડળમાં નવા કયા મંત્રીઓને લેવા એમાં કોઈ ચિત્રમાં હું આવ્યો નથી, પાર્ટીએ પણ મને પૂછ્યું નહોતું કે તમને કોઈ મંત્રી બનાવવો છે કે નહીં, ખાતા વહેંચાયા ત્યારે પણ ન પૂછાયું પણ મને કોઈ રસ પણ નથી.
સામા પગલે સલાહ નહીં મળેલ નીતિન પટેલ
હું કોઈ એ પ્રકારનો માણસ નથી કે વગર પૂછે કોઈને સલાહ આપું, મને કોઈ પૂછે તો બધુ જ કરવા તૈયાર છું, કોઈ મંત્રી મને નહીં પૂછે તો હું સામા પગલે કોઈને સલાહ આપવા જવાનો નથી આ સાથે અત્યાર સુધી નીતિન પટેલ વિશે ચાલેલી બધી જ અફવાઓનો વીટીવી સમક્ષ તેમણે ખુલાસો કર્યો છે. અને ભાજપથી કોઈ નારાજગી ન હોવાની ખુલા દિલથી વાત કરી છે.