એમ્સ ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાનું માનવું છે કે ઓછામાં ઓછા 10 દિવસ અથવા તાવ ન હોય તો 3 દિવસ બાદ હોમ આઈસોલેશનમાંથી બહાર આવી શકાય છે.
10 દિવસ બાદ હોમ આઈસોલેશનમાંથી બહાર આવી શકાય
તાવ ન હોય તો 3 દિવસ બહાર આવી શકાય
હોમ આઈસોલેશન પછી કોરોના ટેસ્ટની જરુર નથી
કોરોનાના કેસોની વચ્ચે દર્દીઓમાં ઘણા પ્રકારની મૂંઝવણ પ્રવર્તી રહી છે. સૌથી મોટી દુવિધા તો હોમ આઈસોલેશનની હોય છે. દર્દીઓના મનમા સવાલ ઘુમરાતો હોય છે કે ક્યાં સુધી હોમ આઈસોલેશનમાં એકલા રહેવું. હવે દેશના ટોચના ડોક્ટરે આ સવાલનો જવાબ આપ્યો છે.
હોમ આઈસોલેશન પછી કોરોના ટેસ્ટની જરુર નથી
ડોક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે હોમ આઈસોલેશનનો સમય પૂરો થયા બાદ ફરી વાર કોરોના ટેસ્ટ કરાવવાની કોઈ જરુર રહેતી નથી. તેમણે કહ્યું કે એક સારા ડોક્ટર દ્વારા જ દર્દીઓને રેમડેસિવિર આપવાનો નિર્ણય લેવાવો જોઈએ અને તેને હોસ્પિટલમાં લગાડવું જોઈએ.
નિયમોનું પાલન જરૂરી
ડો. ગુલેરિયા કહે છે કે અત્યારે જે રીતે મહામારી ફેલાઈ રહી છે તે રીતે કોરોનાથી બચવા નિયમોનું પાલન જરૂરી છે. જ્યારે વધુ જરૂરી ન હોય તો યાત્રા કરવાથી બચવું યોગ્ય છે.
વેક્સીન આટલા સમય સુધી આપે છે સાથ
ડો. ગુલેરિયાનું કહેવું છે કે કોરોનાની વેક્સીન સુરક્ષિત છે અને તે 8-10 મહિના સુધી કોરોના સંક્રમણથી તમને સુરક્ષિત રાખી શકે છે. આ પછી તેની અસર રહેતી નથી. તેઓએ એમ પણ કહ્યું છે કે ભારતમાં વેક્સીનનો કોઈ દુષ્પ્રભાવ જોવા મળ્યો નથી.
સંક્રમણની ચેનને રોકવાની રહેશે
નીતિ આયોગના સભ્ય વીકે પોલનું કહેવું છે કે કોરોના સંક્રમણની ચેનને રોકવું જરીરી છે. આ માટે વેક્સીન જ એક ઉપાય છે. પરંતુ કન્ટેનમેન્ટ ઝોન અને રણનીતી પર ખાસ કામ કરવાની જરૂર છે. તો જ સંક્રમણને કાબૂમાં લાવી શકાશે. પોલે કહ્યું કે ગંભીર બીમારી સાથે જોડાયેલા વધારે ઉંમરના લોકોમાં મૃત્યુદર વધારે રહે છે. આ કારણ છે કે તેમને પ્રાથમિકતાના આધારે વેક્સીન આપવામાં આવે.