સંયુક્ત રાષ્ટ્રમાં ઈમરાન ખાને ભારત પર ગંભીર આક્ષેપો લગાવ્યા. જેમા વળતા જવાબમાં ભારતની ફર્સ્ટ સેક્રેટરીએ ઈમરાન ખાનને આંતકી પ્રવૃત્તી અને આતંકવાદીઓને લઈ બરાબરના ઝાટક્યા સાથેજ ઈમરાનને POK ખાલી કરવા માટે કહ્યું
સંયુક્ત રાષ્ટ્રમાં ઈમરાન ખાને ભારત પર કર્યા ગંભીર આક્ષેપ
ભારતીય ફર્સ્ટ સેક્ર્ટરી સ્નેહા દુબેએ ઈમરાનને આપ્યો કડક જવાબ
સમગ્ર મામલે આંતક POKને પાકિસ્તાન ખાલી કરે તેવી માગ
પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ ફરી વખત આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતને ખરીખોરી સંભળાવી પરંતુ આ વખતે ભારતીય ફર્સ્ટ સેક્રેટરી સ્નેહા દુબે દ્વારા તેને કડક જવાબો આપવામાં આવ્યા છે. યુએનમાં ભાયણ આપતી વખતે ઈમરાને ફરી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેને લઈને સ્નેહા દુબએ તેમને આયનો બતાવ્યો.
પાકિસ્તાનની ભૂમી પર આંતકીઓ
સ્નેહા દ્વારા કહેવામાં આવ્યું કે સમગ્ર વિશ્વ માને છે કે પાકિસ્તાનની ભૂમી પર આતંકીઓ રહેતા હોય છે. સાથેજ પાકિસ્તાન તેને સપોર્ટ પણ કરે છે. ઉપરાંત સ્નેહાએ કહ્યું કે ખોટી રીતે પાકિસ્તાને જે કાશ્મીરના ટુકડા પર કબ્જો જમાવી લીધો છે તે ભાગ પણ ખાલી કરવા માટે કહ્યું જેને લઈને સભામાં ઈમરાન ખાનની બોલતી બંધ થઈ ગઈ હતી.
#Watch: Pakistan is an arsonist disguising itself as a fire-fighter…The world has not forgotten that the mastermind behind the dastardly 9/11 attacks, Osama Bin Laden, got shelter in #Pakistan: #India’s Right of Reply @UN. @PTI_Newspic.twitter.com/EjrokYvqSQ
ઈમરાન ખાને આરોપ લગાવ્યા કે 5 ઓગ્સટ 2019ના રોજ ભારતે કાશ્મીર પર ખોટી રીતે કબ્જો કરી લીધો સાથેજ કાશ્મીરમાં 9 લાખ સૈનિકોને મૂકી દીધા અને કાશ્મીરમાં ઈન્ટરનેટ પણ બંધ કરી દીધું. સાથેજ ઈમરાને કહ્યું અહીયા કાશ્મીરમાં સેના માનવાધિકારનું ઉલ્લંઘન કરતી હોય છે અને મુસ્લીમોને અલ્પસંખ્યક બનાવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
કોણ છે સ્નેહા દુબે ?
સ્નેહા દુબે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ફર્સ્ટ સેક્રેટરી છે. તેમણે 2011માં પહેલાજ પ્રયાસમાં સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી હતી. ગોવામાં ભણેલી સ્નેહાએ પુના ફર્ગ્યૂસન કોલેજથી ગ્રેજ્યુએશન કર્યું. સાથેજ તેણે દિલ્હીમાં જવાહરલાલ યૂનિવર્સિટીમાં જિયોગ્રાફીમાં માસ્ટરનો અભ્યાસ કર્યો છે. તે હંમેશાથી ઈન્ડિયન ફોરન સર્વિસમાં જોડાવા માગતી હતી.
સ્નેહા દુબે આપ્યો કડક જવાબ
જોકે ઈમરાનના લગાવેલા આરોપો પર સ્નેહા દુબેએ તેને કડક ભાષામાં જવાબ આપ્યો. જેમા તેણે કહ્યું પાકિસ્તાની નેતા સંયુક્ત રાષ્ટ્રના મંચ પર ભારત સામે ગમે તેમ બોલીને પોતાના દેશની પરિસ્થિતી છુપાવા માગે છે. સાથેજ સ્નેહાએ અલ્પસંખ્યકોની વાતને કહ્યું પાકિસ્તાન આતંકીઓને આશરો આપે છે. જેના કારણે ત્યા અલ્પસંખ્યકોનું જીવવુ હરામ તઈ ગયું છે.
પાકિસ્તાન આપે છે કે આતંકીઓને આશરો
સમગ્ર મામલે સ્નેહાએ એવુ પણ કહ્યું કે સમગ્ર વિશ્વ જાણે છે કે પાકિસ્તાન આતંકીઓને આશરો આપે છે સાથેજ તે આતંકીઓની મદદ પણ કરતું હોય છે. સાથેજ તેણે એવું પણ કીધું કે આ એક એવો દેશ છે જ્યા આતંકીઓને ટ્રેનિંગની સાથે હથિયારો પણ આપવામાં આવતા હોય છે.
POKને ખાલી કરવા કરી માગ
ઉલ્લેખનીય છે કે જમ્મુ કાસ્મીર અને લદ્દાખ વીશે સ્નેહાએ કહ્યું કે તે ભારતના કેન્દ્ર શાસિત પ્રગેશ છે અને દેશનું વિભિન્ન અંગ છે. સાથેજ તેણે કહ્યું કે કાશ્મીરમાં એ હિસ્સો પણ શામેલ છે જ્યા પાકિસ્તાને ખોટી રીતે કબ્જો જમાવ્યો છે જેથી તે જગ્યા પણ ખાલી કરવા માટે સ્નેહાએ માગ કરી હતી.