પાકિસ્તાનમાં આજે અવિશ્વાસ પ્રસ્તાવ આવી રહ્યો છે જે બાદ ઈમરાન ખાનનું રાજીનામું નિશ્ચિત મનાઈ રહ્યું છે પણ આખા દેશમાં હિંસાની આશંકા છે.
આજે પાકિસ્તાનમાં આર યા પારની ઘડી
અવિશ્વાસ પ્રસ્તાવમાં ઈમરાન ખાનની સરકાર પડી જવાની પૂરી સંભવાના
રસ્તા પર ઉતરી ગયા ઈમરાન ખાનના સમર્થક
દેશમાં હિંસા થવાની પણ આશંકા
ભારતના દુશ્મન દેશ પાકિસ્તાનમાં અત્યારે રાજકીય અફરાતફરી મચી ગઈ છે, સરકાર પર છેલ્લા ઘણા દિવસથી ખતરો છે અને અલ્પમતની સરકારને પાડી દેવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સતત સમજાવટ બાદ પણ ઈમરાન ખાન રાજીનામું આપવા જરાય તૈયાર નથી, ઉલ્ટાનું પ્રધાનમંત્રી થઈને પોતે દેશના યુવાનોને રસ્તા પર ઉતરી જવા માટે અપીલ કરી રહ્યા છે.
ધારા 144 લાગુ કરવામાં આવી
જોકે આજે ઈમરાન ખાનને લઈને ચુકાદાનો દિવસ છે, ઈમરાન ખાને સંસદની અંદર પોતાની બહુમતી સાબિત કરવાની છે, પરંતુ તેઓ હાર માનવા તૈયાર નથી જોકે તેઓ નંબર ગેમમાં પાછળ પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે. રાજધાની ઈસ્લામાબાદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન પહેલા હિંસા રોકવા માટે કલમ-144 લાગુ કરવામાં આવી છે.
યુવાનોને ઉશ્કેરવાનું કામ
અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે થનારી વોટિંગમાં તેમને સાંસદોના સમર્થનથી જ જીતી શકાય છે પરંતુ ઈમરાન ખાન તેમના સમર્થકોને ઉશ્કેરી રહ્યા છે અને તેમને ઈસ્લામાબાદમાં ભીડ એકત્ર કરવા માટે બોલાવી રહ્યા છે. PTIના સમર્થકો પણ રસ્તા પર ઉતરીને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.
સંસદની આસપાસના રેડ ઝોન વિસ્તારોને સીલ કરવામાં આવ્યા
8 હજાર સૈનિકો તૈનાત
સંસદ વિસ્તારમાં મુખ્ય માર્ગો પર કન્ટેનર રાખવામાં આવ્યા હતા
સામાન્ય લોકો માટે અવરજવર બંધ
ઈસ્લામાબાદમાં મેટ્રો સેવા સ્થગિત
સમગ્ર ઈસ્લામાબાદમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે
ઈમરાન ખાન બેબાકળા બન્યા
બહુમત માટે નંબર ગેમમાં પાછળ રહેતા ઈમરાન હાર સ્વીકારવા તૈયાર નથી અને દરરોજ ટીવી પર આવીને એક જ વાત કરી રહ્યા છે કે તે કેપ્ટન છે અને કેપ્ટન પાસે જીતવા માટે ઘણી યોજનાઓ છે. ગઈકાલે સાંજે પણ શમા ટીવી પર એક ઈન્ટરવ્યુ આપ્યો હતો અને તે જ દાવો દોહરાવ્યો હતો. ઇમરાને કહ્યું, આવતીકાલે મેચમાં વિસ્ફોટ થવાનો છે. હું હાર માની રહ્યો નથી. એક સારો કેપ્ટન ક્યારેય હાર વિશે વિચારતો નથી. અમારી પાસે વ્યૂહરચના છે. કાલે બહાર આવશે. મેં મારી વ્યૂહરચના વિશે બહુ ઓછા લોકોને જણાવ્યું છે.