પાકિસ્તાનમાં અસ્થિર રાજકીય સ્થિતિની વચ્ચે સંસદમાં વિપક્ષોએ ઈમરાન સરકારની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતા
વિપક્ષોએ સંસદમાં રજૂ કર્યો અવિશ્વાસનો પ્રસ્તાવ
ચાલી રહ્યું છે વોટિંગ
અવિશ્વાસ પ્રસ્તાવ પાસ થશે તો ઈમરાને આપવું પડશે રાજીનામું
પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીની બે દિવસની રજા બાદ સોમવારે આ નિર્ણાયક સત્ર ફરી શરૂ થયું હતું. દેશમાં ગુંચવાયેલી રાજકીય સ્થિતિ વચ્ચે વિપક્ષે વડાપ્રધાન ઇમરાન ખાન સામે વિધિવત રીતે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે.
વિપક્ષના નેતા શાહબાઝ શરીફે રજૂ કર્યો અવિશ્વાસનો પ્રસ્તાવ
વિપક્ષના નેતા શાહબાઝ શરીફ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવ પર હાલમાં વોટિંગ ચાલી રહ્યું છે. વડાપ્રધાન ઇમરાન ખાન સામે ચાલી રહેલા માહોલ વચ્ચે 8 માર્ચે વિપક્ષી દળોએ નેશનલ એસેમ્બલીના સચિવાલયમાં નોટિસ ફટકારીને 14 દિવસની અંદર ફરજિયાત સત્રની માંગ કરી હતી, જે બાદ દેશમાં રાજકીય અસ્થિરતાનો માહોલ વધુ ઘેરો બન્યો હતો.જો કે વિપક્ષે આપેલી ડેડલાઈનના ત્રણ દિવસ બાદ 25 માર્ચે સત્ર બોલાવવામાં આવ્યું હતું, પરંતુ સ્પીકરે પ્રસ્તાવ રજૂ કરવાની મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો હતો. વિરોધ પક્ષોએ આરોપ લગાવ્યો છે કે દેશમાં આર્થિક સંકટ અને વધતી મોંઘવારી માટે વડાપ્રધાન ઇમરાન ખાનની સરકાર જવાબદાર છે, તેથી તેમને ખુરશી પર રહેવાનો કોઇ અધિકાર નથી.વાસ્તવમાં વિપક્ષો ઈમરાનને પાર્ટીઓમાંથી ગાદી પરથી હટાવવા માટે પ્રચાર કરી રહ્યા છે, પરંતુ પહેલીવાર તેને સફળતા મળતી દેખાઈ રહી છે, કારણ કે ઈમરાન છાવણીના લગભગ બે ડઝન સાંસદો પણ તેમનાથી દૂર થઈ ગયા છે.
શું છે પાકિસ્તાની સંસદની નંબર ગેમ
પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટી (પીટીઆઇ)ના 342 સભ્યોની નેશનલ એસેમ્બલીમાં 155 સભ્યો છે અને તેમને સરકારમાં રહેવા માટે ઓછામાં ઓછા 172 સાંસદોની જરૂર છે.પાકિસ્તાનમાં સત્તાની નંબર ગેમ પર નજર કરવામાં આવે તો ઇમરાન પાસે પહેલા 176 સાંસદોનું સમર્થન હતું, પરંતુ 24 સાંસદોના વિદ્રોહી બાદ હવે માત્ર 152 સાંસદો જ ઇમરાન સરકાર સાથે ઉભા છે. 342 સભ્યોની નેશનલ એસેમ્બલીમાં ઈમરાન ખાન બહુમતના આંકડા 172થી ઘણા પાછળ છે.
વિપક્ષોને 172 મત મળ્યાં તો ઈમરાન સરકાર પડી જશે
બીજી તરફ વિરોધ પક્ષોને વિશ્વાસ છે કે સરકારને પાડવા માટે 342ના ગૃહમાં 172 સભ્યોનું સમર્થન મળી શકે છે, જ્યારે સરકારનો દાવો છે કે આ પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે ગૃહમાં જરૂરી સમર્થન છે.