નવી દિલ્હી: પાકિસ્તાન પ્રધાનમંત્રી ઇમરાન ખાને ફરીથી શાંતિ વાર્તા શરૂ કરવા માટે PM મોદીને પત્ર લખ્યો છે. ખાસ વાત એ છે કે એમને યૂનાઇટેડ નેશન્સ જનરલ એમ્બસીની મીટિંગથી અન્ય ભારતની વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીની વચ્ચે મીટિંગનો આગ્રહ કર્યો છે. આ મહિના બાદ ન્યૂયોર્કમાં યૂનાઇટેડ નેશન્સ જનરલ એમ્બસીની મીટિંગ યોજાનાર છે. ખાનનો આ પત્ર પીએમ મોદીને એ સંદેશનો જવાબ છે જેમાં એમને બંને દેશોની વચ્ચે ફળદાયક અને રચનાત્મક સંબંધોનો સંકેત આપ્યો હતો. ઇમરાન ખાને પણ પાકિસ્તાન ચૂંટણીમાં પોતાની જીત બાદ કહ્યું હતું કે જો સંબંધ સુધારવાની દિશામાં ભારત એક સ્ટેપ આગળ આવે છે તો એ બે સ્ટેપ આગળ આવશે.
રાજકીય સૂત્રો પરથી જાણવા મળ્યું કે ખાને પોતાના પત્રમાં એ વ્યાપક દ્વિપક્ષીય વાર્તા પ્રક્રિયા ફરીથી શરૂ કરવાનો આગ્રહ કર્યો છે જે ડિસેમ્બર 2015માં શરૂ કરવામાં આવી હતી. પઠઆણકોટ એરબેસ પર આતંકી હુમલા બાદ વાર્તાની આ પ્રક્રિયા સ્થગિત કરી દેવામાં આવી હતી. ખાને પોતાના પત્રમાં કહ્યું છે કે ભારત અને પાકિસ્તાનને આંતકવાદ અને કાશ્મીર સંબંધિત તમામ મોટા મુદ્દાનું વાર્તાના માધ્યમથી સમાધાન પર ધ્યાન આપવું જોઇએ.
ઉલ્લેખનીય છે કે મોદી સરકારે ઇસ્લામાબાદને સંકેત આપ્યો હતો કે પાકિસ્તાની ધરતીથી સંચાલિત થતા અને ભારકને નિશાન બનાવનાર આતંકી સંગઠનો પર કડક કાર્યવાહી કરીને ફળદાયક વાતચીત માટે પાકિસ્તાન અનુકૂળ માહોલ તૈયાર કરે. ઇમરાન ખાનને લખેલા પોતાના પત્રમાં મોદીએ એમની સાથે પહેલા ફોન પર થયેલી વાતનો હવાલો આપ્યો હતો.