પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન આજે ઈસ્લામાબાદમાં તેમના દ્વારા બોલાવામં આવેલી રેલીમાં પદ છોડી શકે છે.
પાકિસ્તાનમાં સત્તા પરિવર્તનના એંધાણ
ઈમરાન ખાન આજે આપશે રાજીનામું
50 સાંસદો ગાયબ થયાં
પાકિસ્તાનના પ્રધાનમંત્રી કાર્યાલયની યુટ્યૂબ ચેનલનું નામ બદલી દેવામાં આવ્યું છે. ત્યારે આવા સમયે એ વાતોની અટકળો તેજ થઈ છે કે, પ્રધાનમંત્રી ઈમરાન ખાન આજે ઈસ્લામાબાદમાં તેમના દ્વારા બોલાવામં આવેલી રેલીમાં પદ છોડી શકે છે. ઈમરાનની આ રેલી એટલા માટે બોલાવામાં આવી છે, જેથી પાકિસ્તાન તહરીકે ઈંસાફ પાર્ટી શક્તિપ્રદર્શન કરી શકે. ઈમરાન ખાનને વધતી મોંઘવારી અને આર્થિક સ્થિતિઓનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે, તેમની સરકાર વિપક્ષ દ્વારા લગાવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપ સામે ઝઝૂમી રહ્યા છે.
ઈમરાન ખાન આજે શક્તિપ્રદર્શન કરશે
યુટ્યૂબ ચેનલનું નામ શનિવારે બદલી જતાં લોકો હેરાન થઈ ગયા હતા. ચેનલનું નામ જ્યારે પ્રધાનમંત્રી કાર્યાલય હતું, ત્યારે તે વેરિફાઈડ ટિક મળતું હતું. હવે તેનું નામ બદલીને ઈમરાન ખાન કરી દેવામાં આવ્યું છે. ઈમરાન ખાનને પાકિસ્તાનના વિપક્ષ ડાકુ પણ કકરી દીધા છે. સાથે જ ઈમરાને લોકોને 27 માર્ચે ઈસ્લામાબાદના પરેડ ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં આવવાનો આગ્રહ પણ કર્યો છે. પીટીઆઈએ ઈમરાન ખાનનો હવાલો આપતા કહ્યું કે, હું ઈચ્છું છું કે, કાલે મારા લોકો પરેડ ગ્રાઉન્ડમાં આવે, કાલે આપણે દરિયો દેખાડીશું. ઈમરાન ખાન માટે રાજકીય પડકારો વધતાં જાય છે.
ઈમરાન ખાને કહ્યું-કોઈ પણ હાલતમાં રાજીનામું નહીં આપું
એક રિપોર્ટમાં કહેવાયુ છે કે, 50થી વધારે સંધીય અને પ્રાંતીય મંત્રીઓ સાર્વજનિક રીતે દેખાતા નથી. ઈમરાન ખાને બુધવારે કહ્યું હતું કે, વિપક્ષના દબાણમાં આવીને કોઈ પણ સ્થિતિમાં રાજીનામું નહીં આપું. હું છેલ્લા બોલ સુધી રમતો રહીશ. તથા એક દિવસ પહેલા જ સરપ્રાઈઝ આપીશ, કારણ કે, હાલમાં તેઓ દબાણમાં છે. મેં હજુ સુધી મારુ કોઈ કાર્ડ ખોલ્યા નથી. જો કે, પાકિસ્તાનના પત્રકાર નઝમ સેઠીએ કહ્યું હતું કે, ઈમરાન ખાન પાસે પાકિસ્તાનમાં બતાવવા માટે કોઈ જ ટ્રમ્પ કાર્ડ નથી.