પાકિસ્તાનમાં ચાલી રહેલા રાજકારણના ખળભળાટ વચ્ચે લંડનમાં સારવાર લઈ રહેલા પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફના ઘર પર હુમલો કરવામાં આવ્યો છે.
પાકિસ્તાનમાં ખળભળાટ મચ્યો
ઈમરાન ખાન સરકાર પર સંકટ
પૂર્વ પીએમ નવાઝ શરીફના ઘર પર અટેક
પાકિસ્તાનમાં ચાલી રહેલા રાજકારણના ખળભળાટ વચ્ચે લંડનમાં સારવાર લઈ રહેલા પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફના ઘર પર હુમલો કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, નવાઝ શરીફ પર હુમલો કરનારા શખ્સ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીકે ઈંસાફના કાર્યકર્તાઓ છે. તો વળી આ ઘટનાથી દુ:ખી થયેલી નવાઝ શરીફની દિકરી મરિયમ નવાઝ ગુસ્સે થતાં ઈમરાન ખાનની ધરપકડ કરવાની માગ કરી છે.
Those of PTI who resort to violence or create a law and order situation should be arrested and thrown behind bars, IK included. IK should be booked for provocation, incitement & sedition. Will be Insha’Allah. None of them should be spared.
— Maryam Nawaz Sharif (@MaryamNSharif) April 2, 2022
મરિયમે કહ્યું કે, જરાં પણ મોડુ કર્યા વગર ઈમરાન ખાનની ધરપકડ કરી લેવી જોઈએ. તો વળી નવાઝ શરીફ પર હુમલાની જાણકારી પાકિસ્તાનના એક પત્રકારે આપી હતી. નવાઝ પર હુમલો થતાં તેમનો એક બોડીગાર્ડ પણ ઘાયલ થઈ ગયો છે.
અમેરિકાની ગુલામી કરશે- ઈમરાન ખાન
હકીકતમાં આજે ઈમરાન ખાન વિરુદ્ધ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થવાનું છે. પાકિસ્તાનમાં વિપક્ષ નેતા અને પીએમએલએન નેતા શાહબાઝ શરીફ જે નવાઝ શરીફના ભાઈ છે અને તેના વિશે ઈમરાન ખાને આવું કહ્યું હતું કે, જો આ લોકો સત્તામા આવશે તો અમેરિકાની ગુલામી કરશે.
ઈમરાન ખાનની થઈ શકે છે ધરપકડ
પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશીદે દાવો કર્યો છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનની ધરપકડ થઈ શકે છે. શેખ રશીદે કહ્યું કે, મને લાગે છે કે, તે ઈમરાન ખાનને ધરપકડ કરી શકે છે. તેઓ ઈમરાન ખાનને સાંખી નહીં લે. એકસો પંચાવન સભ્યો રાજીનામા આપી શકે છે, જે લોકતંત્ર માટે મોટો ખતરો છે. આ સ્થિતિનું એક માત્ર સમાધાન ચૂંટણી છે. શેખ રશીદે કહ્યું કે, પાકિસ્તાનની એજન્સીઓએ દખલ આપવી જોઈએ અને ચૂંટણીનો રસ્તો સ્પષ્ટ કરવો જોઈએ.