પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને કહ્યુ કે, ''ભારતની સાથે પાકિસ્તાના સંબંધ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે એકમાત્ર સમસ્યા છે. લોકસભા ચૂંટણી સમાપ્ત થયા પછી ભારતની સાથે સંબંધ સામાન્ય થવાની આશા છે.''
ઇમરાન ખાને ચાઇના ઇન્ટરનેશનલ કલ્ચરલ કોમ્યુનિકેશન સેન્ટરને સંબોધિત કરતા શુક્રવારે કહ્યુ કે, ''ક્ષેત્રમાં ત્યાં સુધી શાંતિ અને સ્થિરતા નહી હોય, પાકિસ્તાન માટે આર્થિક સમુદ્ઘિ મુશ્કેલ છે અને પાકિસ્તાન સરકાર તેના પર કામ કરી રહી છે.'' ઇમરાન ખાન બેલ્ડ એન્ડ રોડ ફોરમમાં ભાગ લેવા માટે ચીનમાં છે.
પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ કહ્યુ કે, ''પાકિસ્તાનના આશા છે કે અફધાનિસ્તાનમાં રાજનીતિક સમાધાન સફળ રહેશે અને યુદ્ઘગ્રસ્ત દેશમાં સ્થિરતા આવશે. પાકિસ્તાનની સરકારી એજન્સી અનુસાર, અફધાનિસ્તાનમાં જે કંઇ થાય છે, તેની અસર પાકિસ્તાનની સીમાના વિસ્તારોમાં થાય છે. આ માટે અમે શાંતિપૂર્ણ ક્ષેત્ર માટે કામ કરી રહ્યા છીએ. ઇરાન સાથે અમારા સારા સંબધો અને તેને મજબૂત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.'' ઇમરાન ખાને કહ્યુ કે, ''અત્યારે એકમાત્ર સમસ્યા ભારતની સાથે અમારા સંબંધોને લઇને છે પરંતુ આશા છે કે, ચૂંટણી પછી ભારત સાથે અમારા સંબંધો સામાન્ય થઇ જાય.''
બેલ્ડ એન્ડ રોડ ફોરમની બેઠક 25 એપ્રિલથી બીજિંગમાં આવ્યા પછી ઇમરાન ખાન પાકિસ્તાન-ભારતના સંબધો પર બોલવા માટે ટાળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરીના પુલવામા થયેલા હુમલા પછી ભારત અને પાકિસ્તાનના સંબંધ ખરાબ થઇ ગયા હતા. પાકિસ્તાનના આંતકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની તરફની તરફથી કરવામાં આવેલા હુમલામાં 40 જવાન શહીદ થઇ ગયા.