ઇસ્લામાબાદઃ આતંકીઓને પનાહ આપવા મામલે બદનામ થઇ ચૂકેલ પાકિસ્તાનનાં પ્રઘાનમંત્રી ઇમરાન ખાને કહ્યું કે અમારી જમીનનો ઉપયોગ બહાર આતંકવાદને ફેલાવવા માટે થાય તે પોતાનાં દેશનાં હિતમાં પણ નથી.
મુંબઇ હુમલાઓનાં ગુનેગાર હાફિઝ સઇદ અને મોસ્ટ વોન્ટેડ આતંકી દાઉદ ઇબ્રાહિમને વિશે પૂછાતા પાક. પીએમએ કહ્યું કે તેઓની સરકારને આ સમસ્યા વારસામાં મળેલ છે. તેઓએ જણાવ્યું કે અતીતને માટે મને જવાબદાર ના ઠહેરાવી શકાય. ઇમરાન ખાને આગળ વધુમાં એમ પણ કહ્યું કે તે પોતાનાં ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદીની સાથે વાતચીત કરવા પણ તૈયાર છે.
તેઓએ કહ્યું કે પીએમ મોદી સાથે મુલાકાત અને વાત કરવામાં તેઓને ખુશી થશે. હકીકતમાં ખાન ભારતનાં તે રૂખનાં સંદર્ભમાં બોલી રહ્યાં હતાં કે જેમાં સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે આતંકવાદ અને વાતચીત સાથે-સાથે નહીં ચાલી શકતા. ભારતે કહ્યું કે પાકિસ્તાનની સાથે ત્યાં સુધી વાર્તા ના થઇ શકે ત્યાં સુધી તે સીમા પર આતંકવાદને સમર્થન અને સંરક્ષણ આપવાનું બંધ ના કરી દે.
"હાફિઝ પર પહેલેથી છે સકંજો":
ઇસ્લામાબાદમાં ભારતીય પત્રકારો સાથે વાતચીતમાં ઇમરાન ખાને કહ્યું કે ઇતિહાસથી આપણે શીખવું જોઇએ તેમાં રહેવું ના જોઇએ. હાફિઝ સઇદને દંડ દેવાનાં સવાલ પર તેઓએ કહ્યું કે "હાફિઝ સઇદ વિરૂદ્ધ સંયુક્ત રાષ્ટ્રનો પ્રતિબંધ છે. પહેલેથી જ તેની પર શકંજો કસવામાં આવેલ છે." આપને જણાવી દઇએ કે એક દિવસ પહેલા કરતારપુર કોરિડોરનાં શિલાન્યાસ કાર્યક્રમમાં ઇમરાન ખાને ભારત સાથે સંબંધ વધારવાની વાત કરી હતી.