ઇસ્લામાબાદઃ પ્રધાનમંત્રી બન્યા બાદ ઈમરાન ખામને પાકિસ્તાન નામે પ્રથમ સંબોધન કર્યું. તેમના સંબોધનમાં ગરીબ બેઘર ખેડૂત અને યુવાનો માટે દર્દ દેખાયું. ઈમરાન ખાનના ભાષણમાં પીએમ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી યોજનાઓનો પ્રભાવ દેખાયો. ઈમરાન ખાને સ્વચ્છતાને ધર્મ સાથે જોડતા કહ્યું સ્વચ્છતા અડધો ધર્મ છે. સમગ્ર પાકિસ્તાનમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવી છે. જેથી પાકિસ્તાન સ્વચ્છતા અને સુંદરતાના મામલામાં યુરોપીયન દેશનો મુકાબલો કરી શકે.
ઈમરાન ખાને કહ્યું કે આ શરમની વાત છે કે પીએમના બંગલામાં 524 કર્મચારી 80 ગાડી અને 33 બુલેટપ્રુફ ગાડીઓ છે. આ ઉપરાંત હેલિકોપ્ટર અને વિમાન છે. CM ગવર્નર કમિશ્નર મોટા બંગલામાં રહે છે. જોકે દેશની અડધી આબાદીને માથુ ઢાંકવા માટે છત નથી. જેથી 50 લાખ ઓછા બજેટવાળા મકાનોનું નિર્માણ કરવામાં આવશે.
આ ઉપરાંત દેશની આર્થિક સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે વિદેશમાં રહેતા પાકિસ્તાનીઓ દેશમાં રૂપિયા મોકલે. જેથી રૂપિયા બેંકોમાં આવે અને દેશને લાભ થાય.
ઈમરાન ખાને કહ્યું કે દેશ પર 15 હજાર બિલિયન દેવું હતું જે વધીને 28 હજાર બિલિયન થઈ ગયું છે. ભ્રષ્ટાચાર પર ઈમરાને કહ્યું કે ગૃહમંત્રાલય મારી પાસે એટલે જ રાખ્યું છે જેથી ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટું અભિયાન ચલાવી શકાય. આ માટે ઈમરાને દેશની જનતાનો સાથ પણ માગ્યો છે.