અફઘાનિસ્તાનમાં તાલીબાનને ઊભુ કરવામાં પાકિસ્તાનનો ખુબ મોટો ફાળો છે આ વાતથી કોઇ અજાણ નથી. કાબુલમાં તાલિબાનના કબ્જાને લઇને ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)ની એક નેતાએ કાશ્મીરને લઇને એક ચોંકાવનારો દાવો કર્યો છે.
કાશ્મીર જીતી તાલિબાન આપશે પાક.ને
ઇમરાન ખાનની પાર્ટીના નેતાએ કર્યો દાવો
ટી.વી ડીબેટમાં કાશ્મીરને લઇને કર્યા દાવા
પાકિસ્તાનની નેતા નીલમ ઇરશાદ શેખે કહ્યું કે તાલિબાન પાકિસ્તાનની સાથે છે. તાલિબાન કાશ્મીર જીતીને પાકિસ્તાનને આપશે. નીલમ ઇરશાદે આ વિવાદિત નિવેદન એક ટીવી ચેનલ પરની ડીબેટમાં આપ્યું હતું. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે લાંબા સમયથી તાલિબાનીનો પાકિસ્તાનની ગુપ્ત એજન્સી ISI સાથે સંબંધ છે.
નીલમ ઇર્શાદનું આ નિવેદન એવા સમય પર આવ્યું છે કે જ્યારે પાકિસ્તાન પર તાલિબાનના આતંકીઓને મદદ કરવાનો આરોપ લાગ્યો છે. અફઘાનિસ્તાનમાં યુદ્ધ દરમિયાન હજારો આતંકવાદીઓ પાકિસ્તાનના કાબયાલી વિસ્તારોમાંથી અફઘાનિસ્તાન ચાલ્યા ગયા છે. જાણકારોનું કહેવું છે કે પાકિસ્તાની સેના અને ISIની મદદથી અફઘાનિસ્તાનમાં ફરી એકવાર તાલિબાનનું રાજ આવી ગયું છે.
#PTI leader Neelam Irshad Sheikh: Taliban have announced that they will join hands with Pakistan to liberate Kashmir. pic.twitter.com/MfC7mQ6lLh
ઈમરાન સરકાર બન્યા બાદ પાકિસ્તાનનું માન વધી ગયુ
એક ટીવી ડીબેટમાં નીલમ ઇરશાદે કહ્યું કે 'ઇમરાન સરકાર બન્યા બાદ પાકિસ્તાનનું માન વધી ગયું છે. તાલિબાનનું કહેવું છે કે અમે તમારી સાથે છીએ અને ઇન્શા અલ્લાહ તે આપણને કાશ્મીર જીતીને આપશે.'
જ્યારે ટીવી એન્કરે એ તેમને પૂછ્યું કે તાલિબાન તમને કાશ્મીર આપશે એ તમને કોણે કહ્યું ? ત્યારે નીલમ ઇરશાદે કહ્યું કે 'ભારતે આપણા ભાગલા પાડ્યા છે પરંતુ આપણે એકજૂથ થઈશું. આપણી સેનાની પાસે પાવર છે, સરકારની પાસે પાવર છે. તાલિબાન આપણું સમર્થન કરી રહ્યું છે કારણકે પાકિસ્તાને તેમનું સમર્થન કર્યું છે જ્યારે તેમના પર અત્યાચાર થયા હતા. હવે તે આપણો સાથ આપશે.'
તાલિબાન કાશ્મીર જીતીને આપશે
નીલમ ઇરશાદે કહ્યું કે પાકિસ્તાની ગ્રીન પાસપોર્ટની ઇજ્જત શરૂ થઇ ગઇ છે. પાકિસ્તાનમાં ઇનવેસ્ટર્સ આવી રહ્યા છે. વિદેશી કંપનીઓ આવી રહી છે. રાજસ્વ વધી રહ્યો છે. સમગ્ર દુનિયામાં પાકિસ્તાનનું નામ ટૉપ પર છે. તુર્કીની સરકારને જોઇ લો, મલેશિયાની સરકારને જોઇ લો અને અફગાનિસ્તાનને જોઇ લો..અને તે તાલિબાન કહે છે કે તે આપણા સાથે છે. ઇંશા અલ્લાહ તે આપણને કાશ્મીર જીતીને આપશે.'
એક ઈન્ટરવ્યૂમાં તાલિબાન પ્રવક્તા સુહૈલ શાહીને કહ્યું કે તાલિબાન ભારત અને પાકિસ્તાનની વચ્ચે ઝઘડાનો ભાગ બનવા નથી માંગતુ. અમે આઝાદી માટે લડનાર લોકો છીએ, અમે અફઘાનિસ્તાનના લોકો છીએ. અમે કબ્જાની વિરુદ્ધમાં લડી રહ્યા છીએ. ન્યૂઝ એજન્સી ANIના સૂત્રો અનુસાર કાશ્મીર તાલિબાનના એજન્ડામાં નથી. કાશ્મીરમાં વધતા આતંકવાદ પર ચિંતા વચ્ચે, એક અધિકારીએ કહ્યું કે ખીણમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથોની યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિનો ઉપયોગ કરવાની ક્ષમતા ઘણી ઓછી છે.