સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના રાજદૂત મહીલા લોધીની જગ્યાએ હવે મુનીર અકરમ લેશે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયે સોમવારે આનું એલાન કરી દીધું. યૂએનમાં હવે પાકિસ્તાનના રાજદૂત મુનીર અકરમ હશે. મુનીર આ પહેલા પણ આ પદ પર 2002થી 2008 વચ્ચે રહી ચૂક્યા છે. તેઓ ન્યૂયૉર્ક સ્થિત મુખ્યાલયમાં તૈનાત રહેશે.
વિદેશ મંત્રાલયે સોમાવારે આનું એલાન કર્યું
મુનીર પહેલાથી જ રહી ચૂક્યા છે સંયુક્ત રાષ્ટ્રમાં રાજદૂત
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલીક નવી નિમણૂંક કરી છે. રાજદૂત મુનીર અકરમ સિવાય કેટલીક નવી નિમણૂંકની પણ જાહેરાત કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રમાં વર્તમાન ડાયરેક્ટર જનરલ ખલીલ અહમદ હાશમીને સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિના રૂપમાં નિમણૂંક કરવામાં આવી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ત્રણ નવા રાજદૂતોની પણ નિમણૂંક કરી છે. મોહમ્મદ એઝાઝને હંગરીના રાજદૂત બનાવવામાં આવ્યા છે. સૈયદ સજ્જાદ હૈદરને કુવૈતના રાજદૂત બનાવવામાં આવ્યા છે.
વિવાદોથી મલીહા લોધીનો સંબંધ
મલીહા લોધી હાલમાં ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે એક ફોટો ટ્વીટ કરીને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને તેમના બ્રિટિશ સમકક્ષ બોરિસ જૉનસનની મુલાકાત પર સૌને ચોંકાવી દીધા. આ ફોટો કેપ્શનમાં લખતા સમયે લોધીથી ભૂલ થઇ ગઇ અને તેમણે જૉનસનના બ્રિટનના વિદેશ મંત્રી ગણાવ્યા. તેમના થોડા સમય બાદ તેમણે પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેમણે પોતાનું ટ્વીટ ડિલીટ કરી દીધું.