પાકિસ્તાનમાં ઈમરાન ખાનની મોટી હાર થઇ છે. નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસના પ્રસ્તાવ પર મતદાન થયુ છે. 342 સભ્યોની નેશનલ એસેમ્બલીમાં ઇમરાન વિરુદ્ધ 174 મત પડ્યા છે. ઇમરાનની સરકાર પડી ભાંગી છે.
પાકિસ્તાનમાં રાજકીય ઉથલ-પાથલ
ઈમરાન ખાનની સરકાર પડી ભાંગી
ઇમરાન વિરુદ્ધ 174 મત પડ્યા
પાકિસ્તાનની રાજનીતિમા મોટી ઉથલપાથલ થઇ છે. અડધી રાતે ઇમરાન ખાનની સરકાર ભાંગી પડી છે. અવિશ્વાસ પ્રસ્તાવમાં ઇમરાન વિરુદ્ધ 174 મત પડ્યા છે. પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી શહબાઝ શરીફ હશે.
નેશનલ એસેમ્બલીમાં સુપ્રીમ કોર્ટનું અપમાન: બાર એસો
પાકિસ્તાનના બાર એસોસિએશને કહ્યું છે કે સરકારે કોર્ટની અવમાનના કરી છે અને નેશનલ એસેમ્બલીમાં સુપ્રીમ કોર્ટનું અપમાન કરવામાં આવ્યું છે.
નેશનલ એસેમ્બલીની બહાર કેદી વાન બોલાવવામાં આવી હતી
કેદી વાનને પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીની બહાર બોલાવવામાં આવી છે. આ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું છે કે લોકોએ મને માફિયાઓ સામે લડવાની તાકાત આપવી જોઈએ.
લાહોરમાં ઈમરાનના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે
પાકિસ્તાનમાં ઈમરાન ખાનના સમર્થકો લાહોરમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. તમને જણાવી દઈએ કે ઈમરાન ખાને ફરી એકવાર કહ્યું છે કે તેઓ રાજીનામું નહીં આપે.
પાકિસ્તાનના ચીફ જસ્ટિસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટનું તાળું ખુલી ગયું છે. અહેવાલો અનુસાર, પાકિસ્તાનના ચીફ જસ્ટિસ સિવાય 4 વધુ જજ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. સ્થિતિને જોતા ઈસ્લામાબાદના રસ્તાઓ સીલ કરી દેવામાં આવ્યા છે.
ઈમરાન ખાન પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં પહોંચ્યા હતા
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન નેશનલ એસેમ્બલી પહોંચ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈમરાન ખાન કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે તેઓ રાજીનામું નહીં આપે. દરમિયાન એવા સમાચાર પણ આવી રહ્યા છે કે સ્પીકરે વોટિંગ કરાવવા માટે સહમતિ દર્શાવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો વોટિંગ નહીં થાય તો સુપ્રીમ કોર્ટ સ્પીકર વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી કરી શકે છે.
પાકિસ્તાન નેશનલ એસેમ્બલી બહાર સુરક્ષા તૈનાત
વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન પહેલા ઈસ્લામાબાદમાં પાકિસ્તાન નેશનલ એસેમ્બલીની બહાર સુરક્ષા તૈનાત કરવામાં આવી હતી.
प्रधानमंत्री इमरान खान के खिलाफ अविश्वास प्रस्ताव पर मतदान से पहले इस्लामाबाद में पाकिस्तान नेशनल असेंबली के बाहर सुरक्षा तैनात की गई। pic.twitter.com/nMcdMbZdDr
શહબાઝ શરીફ, જેમનું પાકિસ્તાનના આગામી પ્રધાનમંત્રી બનવામાં સૌથી વધારે સંભાવના છે. તેઓ પોતાના દેશ બહાર ખૂબ ઓછા જાણીતા છે, પણ એક રાજનેતા તરીકે એક પ્રભાવશાળી પ્રશાસક તરીકેની તેમની પ્રતિષ્ઠા સ્થાનિય સ્તર પર ખૂબ જ વધારે છે. ત્રણ વારના પ્રધાનમંત્રી નવાઝ શરીફના નાના ભાઈ, 70 વર્ષિય શહબાઝ, ઈમરાન ખાન સરકાર પાડવામાં વિપક્ષનું નેતૃત્વ કરી રહ્યા છે અને શનિવારે અવિશ્વાસ પ્રસ્તાવ થવાનો હતો, જ્યાં તેમણે વ્યાપક રીતે ઈમરાન ખાનની જગ્યાએ પ્રધાનમંત્રી પદની જવાબદારી સંભાળશે. નિષ્ણાંતોનું કહેવુ છે કે, નવાઝની સરખામણીએ શહબાઝના પાકિસ્તાનની સેના સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો છે, જે પરમાણુ સશસ્ત્ર રાષ્ટ્રમાં 22 કરોડ લોકોની વિદેશ અને રક્ષા નીતિને પરંપરાગત રીતે નિયંત્રિત કરવાનું છે.
કોણ છે શહબાઝ શરીફ
પાકિસ્તાનના જનરલોએ ત્રણ વાર નાગરિક સરકારોને પાડવામાં ડાયરેક્ટ હસ્તક્ષેપ કર્યો છે અને 1947 બાદ આજસુધી પાકિસ્તાનના કોઈ પણ પ્રધાનમંત્રી પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પુરો કરી શક્યા નથી. અમીર શરીફ વંશનો ભાગ રહેલા શહબાઝ શરીફ આજે પ્રધાનમંત્રી બને તેવી શક્યા છે, શહબાઝ પોતાની કાર્યશૈલી માટે ખૂબ જ પ્રખ્યાત છે. જે પંજાબ પ્રાંત મુખ્યમંત્રી રહેતા દેશની જનતાએ જોયું હતું. શહબાઝ શરીફને ચીનની ખૂબ જ નજીકના મનાય છે. કહેવાય છે કે, શહબાઝ શરીફ સીપીઈસી પ્રોજેક્ટને ફરીથી લીલી ઝંડી આપી શકે છે. જેને ઈમરાન ખાને બંધ કરી દીધી હતી અને ચીનને પોતાની વિરુદ્ધ કરી દીધું હતું. શહબાદ શરીફને અમેરિકા સાથે પણ સારા સંબંધો કરવાની કોશિશ કરશે અને આ કામમાં તેમની મદદ મોટા ભાઈ નવાઝ શરીફ કરશે.
ઈમરાન ખાને ભારતને ગણાવ્યો ખુદ્દાર દેશ, થયાં ભાવૂક
ઈમરાન ખાને પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, હિન્દુસ્તાન અને પાકિસ્તાન એક સાથે જ આઝાદ થયાં હતા. ત્યાં ખૂબ જ સન્માન અને પ્રેમ મળ્યો. તે એક ખુદ્દાર દેશ છે. કોઈ પણ સુપર પાવર દેશની હિમ્મત નથી કે, ત્યાં કંઈ પણ કરી શકે. હું હિન્દુસ્તાનનો વિરોધી નથી, કાશ્મીર અને આરએસએસના કારણે સંબંધો ખરાબ થયા છે. ભારતની વિદેશનીતિ સ્વતંત્ર છે.