જમ્મૂ-કાશ્મીરના મામલા પર આજે પાકિસ્તાનની જનતા પ્રદર્શન કરી રહી છે. પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાને પોતાના દેશના લોકોને કાશ્મીરના મામલામાં આગળ આવવા માટે કહ્યુ છે.
તો આજ મામલામાં પાકિસ્તાની સરકારમાં રેલ્વે મંત્રી શેખ રશીદ એક સભા સંબોધિત કરતા હતા, જ્યાં તેઓ પોતાની વાત કરી રહ્યા હતા અને ત્યારે જ માઇકમાંથી એક ઝટકો લાગ્યો અને અચાનક ચૂપ થઇ ગયા, ત્યાં રહેલા તમામ લોકો હંસવા લાગ્યા. જોકે આ પછી મંત્રી બોલ્યા કે, ''મોદી આ જલસાને ખરાબ નહી કરી શકે.''
વાસ્તવમાં શેખ રશીદ પાકિસ્તાનના તે મંત્રીઓમાં શામેલ છે જે સતત ભારત વિરુદ્ઘ નિવેદન આપતા રહે છે. શુક્રવારે બપોરે જ્યારે તેઓ ભાષણ આપી રહ્યા હતા, ત્યારે તેમને માઇકમાંથી ઝટકો લાગ્યો. આ સમયે તેઓ ભારત વિરુદ્ઘ નિવેદન આપી રહ્યા હતા, ત્યારે જ થયુ અને તેઓ ડરી ગયા.
જોકે સ્થિતિને સંભાળતા કહ્યુ કે, કરંટ લાગ્યો છે, પરંતુ મોદી આ જલસાને નિષ્ફળ નહી કરી શકે. આ દરમિયાન ત્યાં હાજર રહેલા તમામ લોકો હસવા લાગ્યા હતા. પાકિસ્તાની મંત્રી શેખ રશીદનો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે અને પાકિસ્તાની લોકો તેમણે જ સંભળાવી રહ્યા છે.
I want all Pakistanis to come out tomorrow 12 noon -12.30 pm to show solidarity with the Kashmiri people and send the Kashmiris in IOK a clear message that the entire Pakistani nation stands in solidarity with them & against Indian fascist oppression, the inhumane 24-day curfew,
તમને જણાવી દઇએ કે, પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાને પોતાના દેશના લોકોને અપીલ કરી કે તેઓ કાશ્મીરના મામલા પર શુક્રવારે બપોરે 12-12.30ની વચ્ચે રસ્તાઓ પર આવે અને સંદેશ આપે. શુક્રવારે આવુ જ થયું, પાકિસ્તાનના ઘણા શહેરોમાં લોકો ઇમરાનની અપીલ પર બહાર નીકળ્યા. ઇમરાન ખાને પોતે એક સભા સંબોધિત કરી અને ફરી એક વખત ભારત વિરુદ્ઘ ખરાબ બોલ્યા.
દર વખતની જેમ પાકિસ્તાની પ્રધાનમંત્રીએ યુદ્ઘની ધમકી આપી અને કહ્યપ કે, કાશ્મીરીઓ માટે તેઓ છેલ્લા શ્વાસ સુધી લડશે. એટલુ જ નહી ઇમરાન ખાને કહ્યુ કે, ''જો ભારત પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર હુમલો કરે છે, તો પૂરી દુનિયાને નુકસાન થશે તેવુ યુદ્ઘ થશે.''