પાકિસ્તાનમાં થયેલી ચૂંટણી બાદ ઈમરાન ખાન 11 ઓગસ્ટે પ્રધાન મંત્રી પદના શપથ ગ્રહણની તૈયારી કરી રહ્યા છે. તેઓએ બોલિવુડ સુપરસ્ટાર આમિરખાન પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવાસ્કર કપિલ દેવ અને સિદ્ધુને આમંત્રણ આપ્યુ છે. ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) 25 જૂલાઈએ થયેલી સામાન્ય ચૂંટણીમાં 116 સીટો જીતી છે.
ત્યારે PTIના પ્રવક્તાએ તે રિપોર્ટોને નકાર્યા છે જેમાં કહેવામાં આવી રહ્યુ હતુ કે ઈમરાન ખાનના શપથ સમાહોરહમાં વિદેશી નેતાઓને બોલાવવામાં આવશે. આ પહેલા 11 ઓગસ્ટે ઈમરાનના શપથ કાર્યક્રમમાં આમંત્રણ મોકલાયેલા વિદેશી નેતાઓમાં પીએમ નરેન્દ્ર મોદીનું નામ પણ શામેલ હોય તેવુ કહેવામાં આવી રહ્યુ છે.
PTIના પ્રવક્તાએ ટ્વિટ કર્યુ પીએમના શપથગ્રહણ સમારોહમાં આંતરરાષ્ટ્રીય નેતાઓને બોલાવવાની મીડિયાની ખબરો સાચી નથી. અમે આ મામલે વિદેશ મંત્રાલય પાસેથી સલાહ માંગી છે અને અમે તેના પ્રમાણેજ નિર્ણય લઈશું.