પાકિસ્તાનનાં પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને આઝાદ રેલી દરમિયાન ગોળી વાગી હતી. કેટલાય રાઉન્ડ ફાયરિંગના થયાં જેમાં ઇમરાન ખાનને પગમાં ગોળી લાગી તેમ છતાં પણ તેઓ પોતાની જગ્યા પર ઊભા રહ્યાં જેનો વીડિયો વાયરલ થયો છે.
ઇમરાન ખાને હુમલા બાદ કર્યું લોકોનું અભિવાદન
વીડિયો થયો જનતામાં વાયરલ
હુમલા બાદ ઇમરાન ખાનની પહેલી પ્રતિક્રિયા પણ આવી સામે
પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતમાં રેલી નિકાળી રહ્યાં પીટીઆઇ પક્ષનાં ચીફ અને પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનની ઉપર જીવલેણ ગોળીબાર કરવામાં આવ્યો છે જેમાં તે ઘાયલ થયાં હતાં. માહિતી અનુસાર હાલમાં તે જોખમ બાહર છે.
ગોળી લાગ્યાં બાદ જનતાનું કર્યું અભિવાદન
ગોળી લાગ્યાં બાદ ઇમરાન ખાન જનતાની તરફ હાથ દેખાડતાં નજરે પડ્યાં હતાં. ઘાયલ થયેલા ઇમરાન ખાને હોસ્પિટલ જતાં પહેલાં લોકોની સામે હાથ દેખાડી અભિવાદન કર્યું. જેનો વીડિયો વાયરલ થયો છે. ઇમરાન ખાન ઘાયલ થયાં બાદ પણ પોતાના અંદાજમાં લોકોનું અભિવાદન કરે છે.
ઇમરાન ખાને કહ્યું કે અલ્હાએ તેમને આ નવી જિંદગી બક્ષી છે.
આ હુમલા બાદ ઇમરાન ખાનની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે અલ્લાહએ તેમને આ નવી જિંદગી બક્ષી છે. તેમણે વધુમાં કહ્યું કે આ જે તેમને બીજી જિંદગી મળી છે ઇન્શાલ્લાહ તે ફરી પાછાં આવશે અને પોતાની લડત ચાલુ રાખશે.
એક વ્યક્તિનું થયું છે મોત
ઇમરાન ખાન સિવાય આ હુમલામાં અન્ય 4 થી 5 લોકો ઘાયલ થયાં હતાં જેમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જે સમયે ઇમરાન પર આ હુમલો કરવામાં આવ્યો તે સમયે પીટીઆઇ નેતા ફવાદ ચૌધરી લોકોને સંબોધિત કરી રહ્યાં હતાં.