પાકિસ્તાન ભયંકર આર્થિક તંગીનો સામે ઝઝુમી રહ્યું છે. આર્થિક સંકટને પહોંચી વળવા માટે ઇમરાન ખાન સરકારે વપરાશ વગરની મોંધી સરકારી સંપત્તિઓને વેચવાનો નિર્ણય કર્યો છે.
પાકિસ્તાનમાં ભયંકર આર્થિક તંગી
ઇમરાન સરકારે લીધો મોટો નિર્ણય
સરકારી સંપત્તિઓની દુબઇમાં કરશે હરરાજી
આ સંપત્તિના વેચાણથી જે કમાણી થશે, સરકાર તેનાથી ખાલી ખજાના ભરવાનું કામ કરશે. તેના માટે પાકિસ્તાન સરકાર દુબઇ એક્સપોમાં સરકારી સંપત્તિઓની હરરાજી કરશે.
કલ્યાણકારી યોજાનાઓ પર થશે ખર્ચ
પ્રધાનમંત્રી ઇમરાન ખાને કહ્યું કે લોક કલ્યાણકારી પ્રોજેક્ટ્સ પર ભંડોળના વધુ સારા ઉપયોગ માટે મોંધી સરકારી સંપત્તિઓ વેચવામાં આવશે. 'ડોન' અખબારના જણાવ્યા મુજબ, આ પહેલમાંથી મળેલા નાણાંનો ઉપયોગ શિક્ષણ, આરોગ્ય, ખોરાક અને આવાસ સંબંધિત કલ્યાણકારી યોજનાઓ પર ખર્ચ કરવામાં આવશે. ખાનગીકરણ સચિવ રિઝવાન મલિકે પ્રધાનમંત્રીને જણાવ્યું હતું કે, "દુબઈ એક્સ્પોમાં આ ન વપરાયેલી સરકારી સંપત્તિઓ દ્વારા વિદેશી અને પાકિસ્તાની રોકાણકારો આ સંપત્તિ ખરીદવા આકર્ષિત કરવામાં આવશે".
પાછલી સરકારોની ઘોર બેદરકારી : ઇમરાન ખાન
ઇમરાન ખાને કહ્યું હતું કે, 'દુર્ભાગ્યથી પાછલી સરકારોએ ઘોર બેદરકારી કરી, કારણ કે તેઓએ આ મોંઘી સંપત્તિનો ઉપયોગ નથી કર્યો. અબજો રૂપિયાની સંપત્તિ હોવા છતાં, દર વર્ષે સંઘીય સરકારી સંસ્થાઓ અબજોનું નુકસાન કરી રહી છે.
ખાને ચેતવણી આપતા કહ્યું હતું કે, સરકારની માલિકીની નહીં વપરાયેલી સંપત્તિને ચિન્હિત કરવામાં કોઈ અવરોધ ઉભો કરનાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.