ભારતે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન દ્વારા સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આપવામાં આવેલ ભડકાઉ ભાષણ અને પાકિસ્તાનીઓને જેહાદ માટે નિયંત્રણ રેખા (LOC) તરફ લઇ જતાં નિવેદન પર ફિટકાર વરસાવી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે આ મુદ્દે શુક્રવારે પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો હતો.
ઇમરાન ખાનના નિવેદન પર ભારતનો જવાબ
ઇમરાનને આં.સંબંધો નિભાવતા આવડતું નથી : વિદેશ પ્રવકતા
ઇમરાન ખાન પર શાબ્દિક પ્રહાર કરતા રવીશ કુમારે કહ્યું કે, તેમણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભડકાઉ અને ગેર-જવાબદાર નિવેદન આપીને પોતાનો અસલી ચહેરો બતાવી દીધો છે. જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી તેમને આંતરરાષ્ટ્રીય સંબંધો નિભાવતા આવડતું નથી.
Raveesh Kumar,MEA on Pakistan PM asking people to head towards LoC: He used provocative&irresponsible statements in UNGA too.I think he doesn't know how to conduct international relationships. Most serious thing is he gave an open call for jihad against India which is not normal. pic.twitter.com/1GgAHL8hCF
તેમણે વધુમાં કહ્યું કે તે ખૂબ જ ગંભીર બાબત છે કે તેમણે ભારત સામે જેહાદ લડવા માટે ખુલ્લેઆમ અપીલ કરી હતી, જે સામાન્ય બાબત નથી. યુએનમાં મલેશિયાના વડા પ્રધાન દ્વારા ઉભા કરવામાં આવેલા કાશ્મીર મુદ્દે તેમણે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરના અન્ય તમામ રજવાડાઓની જેમ ભારત સાથે પણ મર્જરના મુસદ્દા પર હસ્તાક્ષર કર્યા છે.
MEA on Malaysia raising Kashmir issue at UNGA: J&K signed Instrument of Accession like all other princely states, Pak invaded & illegally occupied parts of J&K. Govt of Malaysia should bear in mind the friendly relations between the 2 countries & desist from making such remarks. https://t.co/UYBFK8235xpic.twitter.com/WWBXwzZcYv
રવીશ કુમારે કહ્યું કે, પાકિસ્તાને હુમલો કરીને જમ્મુ-કાશ્મીરના કેટલાક હિસ્સાઓ પર ગેરકાયદેસર રીતે કબજો કરી લીધો છે. તેમણે મલેશિયાનું ઉદાહરણ આપતા કહ્યું કે, ત્યાંની સરકારને 2 રાષ્ટ્રો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધોમાં ધ્યાન રાખવું જોઇએ અને આ પ્રકારની ટિપ્પણીથી બચવું જોઇએ.