પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને શનિવારે ભારત-પાક વિદેશ મંત્રીઓની બેઠક રદ્દ હોવા પર ટ્વીટ કરીને ગુસ્સો વ્યકત કર્યો છે. ઇમરાને ભારતના નિર્ણયને અંહકારી ગણાવ્યો અને પ્રધાનમંત્રી મોદી તરફ ઇશારો કરતાં કહ્યુ કે તેમનામાં દૂરંદેશીનો અભાવ છે. ભારતીય વિદેશ કાર્યાલયે ઇમરાને PM મોદી પર કરેલા ટ્વિટની કોઇ પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કર્યો છે તો બીજી તરફ ઇમરાન ખાનની તીખી પ્રક્રિયાથી નજીકના ભવિષ્યમાં ભારત-પાકિસ્તાન વચ્ચે કોઇ ઔપચારિક વાતચીત થવાની સંભાવના નબળી પડી છે.
મોદી સરકાર અનમે બીજેપી યૂએનજીએના અન્ય વિદેશ મંત્રીઓનો સંવાદ રદ્દ થવાનો રાજકીય રીતે ફાયદાકારક માનવવામાં આવી રહ્યો છે કેમકે આ મુલાકાતથી આતંકવાદ પર મુદ્દે કશું કહ્યા વિના જ પાકિસ્તાનને ફાયદો થવાની સંભાવના હતી. ઇમરાન ખાને ભારત સાથે સવાંદ કરવા માટે જે વલણ બતાવ્યુ છે તે વાસ્તવમાં પાકિસ્તાની આર્મીના આદેશ પ્રમાણે છે. તો બીજી તરફ ભારત એમ કહીને સવાંદ રદ્દ કર્યો છે કે જમ્મૂ-કાશ્મીરમાં પાકિસ્તાન સમર્થિત આંતકી સંગઠન પોલીસકર્મચારીઓ પર નિશાનો સાધીને તેમની હત્યા કરી રહ્યા છે એવી સ્થિતિમાં કોઇ પણ પ્રકારની વાતચીત શક્ય નથી. નવી દિલ્હીમાં ભારતમાં ઠાર કરાયેલા આતંકીઓના વખાણ કરીને પાકિસ્તાને 20 પોસ્ટ ટિકિટ બહાર પાડી છે તે પણ મુદ્દો ગણાવ્યો છે. આ સિવાય જમ્મૂ-કાશ્મરીમાં પંચાયતની ચૂંટણી પહેલા વધતી હિંસા દર્શાવે છે કે પાકિસ્તાન સરકારની શાંતિની વાત પાકિસ્તાનની આર્મીના એક્શન સાથે મેચ નથી કરતી.
Disappointed at the arrogant & negative response by India to my call for resumption of the peace dialogue. However all my life I have come across small men occupying big offices who do not have the vision to see the larger picture.
ભારતે તીખી પ્રતિક્રિયા આપતા બેઠક રદ્દ કરીને ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યુ કે ''વાતચીત પાછળની પાકિસ્તાનની ઇચ્છા ખુલ્લી પડે છે. નવી સરકાર બન્યાના થોડા જ દિવસમાં પ્રધાનમંત્રી ઇમરાન ખાનનો અસલી ચહેરો સામે આવ્યો છે.''
બેઠર રદ્દ થતા પાકિસ્તાને કહ્યુ કે ''BSF જવાનની કથિત હત્યા ભારત તરફથી વિદેશી મંત્રીઓ વચ્ચે બેઠકની જાહેરાત 2 દિવસ પહેલા થઇ હતી.'' પાકિસ્તાને સાથે આવી દલીલ કરી કે આતંકી પોસ્ટ ટિકિટ 25 જૂલાઇએ થયેલી ચૂંટણી પહેલા બહાર પાડવામાં આવી હતી.