પાકિસ્તાન પ્રધાનમંત્રીની ખુરશી પર બેસવા માટે ઈમરાન ખાન ભલે એક કદમ દૂર હોય પણ તાજપોશીની તૈયારીઓ અત્યારથી જ PTIના કાર્યકરોએ શરૂ કરી દીધી છે.
જે રીતે પ્રધાનમંત્રી મોદીએ પોતાના શપથગ્રહણ સમારંભમાં સાર્ક દેશોના વડાને બોલાવી માસ્ટરસ્ટોર્ક માર્યો હતો. તેમાં પાકિસ્તાનના તત્કાલીન પ્રધાનમંત્રી નવાઝ શરીફ પણ સામિલ થયા હતા. તેજ રીતે ઈમરાન ખાન પ્રધાનમંત્રી મોદીને શપથગ્રહણમાં બોલાવશે કે નહીં તે જેઇયે આ અહેવાલમાં.
26 મે 2014નો દિવસ ભારત માટે ઐતિહાસિક દિવસ હતો. કારણ કે કોઈ ગેર કોંગ્રેસી પાર્ટી આ દિવસે પ્રથમ વખત સ્પષ્ટ બહૂમતિ સાથે કેદ્રની સત્તામાં આવી હતી.
જ્યારે ભાજપને સ્પષ્ટ બહૂમતિ મળી હતી અને નરેદ્ર મોદી પ્રધાનમંત્રી પદના શપથ લેવાના હતા. ત્યારે મોદીએ કૂટનીતિના ભાગરૂપે સાર્ક દેશોના વડાઓને પોતાના શપથમાં બોલાવ્યા હતા.
જેમાં પાકિસ્તાનના તે વખતના પ્રધાનમંત્રી નવાઝ શરીફ પણ સામેલ થયા હતા. સાર્ક દેશોના વડાને બોલાવવાનો નિર્ણય મોદીનો માસ્ટરસ્ટોર્ક હતો.
જ્યારે હવે ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ઈમરાન ખાન માટે એવુ કહેવામાં આવે છે કે તેમણે જ્યારથી રાજકારણમાં પગ મુક્યો ત્યારથી જ પ્રધાનમંત્રી પદના શપથ લેવા માટે શેરવાણી શિવડાવીને બેઠા છે.
ભલે ચૂંટણીમાં ઈમરાન ખાનની પાર્ટી PTIને 19 બેઠક મળી હોય પરંતુ પ્રધાનમંત્રીની ખુરશીથી એક કદમ દૂર છે. જોકે તોડજોડ અને ગઠબંધનનું રાજકારણ રમી ઈમરાન ખાન પાકિસ્તાનમાં પોતાની સરકાર બનાવી લેશે.
ત્યારે અહીં સૌથી મોટો સવાલ છે કે જો ઈમરાન સરકાર બનાવવામાં કામિયાબ રહે છે તો શું તેઓ PM મોદીને શપથ ગ્રહણમાં બોલવશે કે નહીં.
મોદીએ પણ પાકિસ્તાનના નવાઝ શરીફને પોતાના શપથમાં બોલાવ્યા હતા. ત્યારે આ મામલે રાજનીતિના જાણકારોનું કહેવું છે કે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન ઈમરાને અનેકવાર ભારત સરકાર અને મોદી સામે નિશાન સાધ્યું હતું.
તો ઈમરાનની રેલીમાં "મોદીનો જે યાર છે તે ગદ્દાર છે" તેવા સુત્રો પણ ખુબ લાગ્યા હતા. એટલુ જ નહીં ઈમરાને નવાઝ શરીફને પણ ભારતના એજન્ટ ગણાવ્યા હતા.
બીજી તરફ ઈમરાન ખાન મોદીની કામ કરવાની સ્ટાઈલના પ્રશંસક છે અને ભારત સાથે સારા સંબંધની તે આશા રાખી રહ્યા છે. તો એ વાત પણ ઈન્કાર ન કરી શકાય કે ઈમરાનને કટરપંથીઓનું ખુલ્લુ સમર્થન મળે છે.
ઈમરાનને તાનાશાહ ઝીઆ ઉલ હક્કનો ટેસ્ટ ટયુબ બેબી પણ કહેવામાં આવે છે. એટલુ જ નહીં તેઓ પાકિસ્તાની સેનાની કઠપૂતળી બનીને કામ કરશે.
ત્યારે એ જોવુ ખુબજ મહત્વનું રહેશે કે પાકિસ્તાની જનતાને નવા પાકિસ્તાનના સપના દેખાડનારા ઈમરાન પ્રધાનમંત્રી મોદીને નિમંત્રણ મોકલશે કે નહીં.
સુત્રો દ્વારા માહિતી મળી રહી છે કે PTIની કોર કમિટી પ્રધાનમંત્રી મોદી સહિત સમગ્ર સાર્ક નેતાઓને બોલાવવા વિચાર કરી રહી છે અને ટૂંક સમયમાં જ નિર્ણય લઈ લેવામાં આવશે.
સાથે PTIએ એવુ પણ કહ્યું છે કે ઈમરાન ખાનની જીત પર પ્રધાનમંત્રી મોદીએ ફોન કરી શુભેચ્છા પાઠવી તે સારૂ પગલુ છે. પરંતુ મોદીને બોલાવવા કે નહીં તે મામલે પાર્ટીમાં વિચારવિમશ બાદ કોઈ નિર્ણય લેવામાં આવશે.
ત્યારે જોવુ રહ્યું કે ઈમરાન ખાન કુટનીતિનો બાઉન્સર ફેંકી શકે છે કે પછી તેમણે નાખેલો બોલ બાઉન્ટ્રી કુદાવી બહાર પડે છે. તમને જણાવી દઇયે કે ઇમરાન 11 ઓગસ્ટના રોજ શપથ ગ્રહણ કરશે.