ઇસ્લામાબાદઃ પુલવામામાં આતંકવાદી હુમલા બાદ ભારતની ચેતવણી પર પાકિસ્તાનમાં હાહાકાર મચી ચૂક્યો છે. પાકિસ્તાને ભારત તરફથી એક બીજી સર્જિકલ સ્ટ્રાઇક જેવા મોટો ખતરો સતાવી રહ્યો છે. આ જ કારણ છે કે પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને વધતા તણાવ વચ્ચે ગુરૂવારે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની એક મહત્વપૂર્ણ બેઠક કરી. આ દરમિયાન પાકિસ્તાને 2008 મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદના સંગઠન જમાત-ઉદ-દાવા અને તેમની ચેરિટી વિંગ ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશન પર પ્રતિબંધ લગાવવાનો આદેશ કર્યો.
ગૃહ મંત્રાલયના એક પ્રવક્તાએ જણાવ્યું કે NSCની બેઠક દરમિયાન આ સંગઠનોને પ્રતિબંધિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. પ્રવક્તાએ કહ્યું કે પહેલાથી જ આ બન્ને સંગઠનો પર નજર રાખવામાં આવતી હતી.
ત્યારે પાકિસ્તાનની ટોપ સિક્યોરિટી બોડીએ કહ્યું કે પુલવામા હુમલામાં તેમના દેશનું કોઇ પણ પ્રકારે સામેલ ન હતું. વધુમાં કહેવામાં આવ્યું કે હુમલાની કલ્પના ષડયંત્ર અને કાર્ય સ્થાનિક હતું અથવા તો ભારતની ધરતી પર થયું. આ દરમિયાન પ્રધાનમંત્રી ઇમરાન ખાને પોતાની સેનાને એમ પણ કહ્યું કે જો ભારત કોઇ આક્રામક કાર્યવાહી કરશે તો તેમને જવાબ પણ તે રીતે જ મળશે.