જમ્મુ કાશ્મીરના વિશેષ દરજ્જાને ખતમ કરવાના ભારતના આંતરિક મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાના પ્રયાસમાં UNSCમાં માત મળ્યા બાદ પણ પાકિસ્તાનનું રડવાનું શરૂ છે.
આતંકવાદી સંગઠનો પ્રત્યે ખુલ્લેઆમ હમદર્દીના કારણે તાલિબાન ખાનના નામથી બદનામ પ્રધાનમંત્રી ઇમરાન ખાને હવે નવો રાગ છેડ્યો છે. તેમણે ભારતના પરમાણુ હથિયારોની સુરક્ષા પર સવાલ ઉઠાવતા આંતરરાષ્ટ્રીય સમુદાયથી આના પર ગંભીરતાથી વિચાર કરવાનું કહ્યું છે. પાકિસ્તાનના પરમાણુ હથિયારો આતંકવાદીઓના હાથે લાગવાની શક્યતાઓને લઇને અનેક વખત આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા સાંભળવા મળે છે પરંતુ ઇમરાન ખાન હડધૂત થયા છે અને નિરાશામાં બાળકપણુ દેખાડતા દુનિયાને સૌથી મોટા લોકતંત્ર ભારતના પરમાણુ હથિયારોની સુરક્ષા પર સવાલો ઉઠાવ્યા છે.
ઇમરાન ખાને ભારત વિરૂદ્ધ ઝેર ઓંક્યું
દેશની નબળી અર્થવ્યવસ્થાની ચિંતા કરવાની જગ્યાએ પીએમ ઇમરાન ખાન ભારત સરકાર વિરૂદ્ધ ભડકાઉ નિવેદન આપવામાં મશહૂર છે. પાકિસ્તાનમાં અલ્પસંખ્યક હિંદુઓ, ઇસાઇઓ દુર્દશા કોઇથી છૂપી નથી પરંતુ ઘર સંભાળવાના બદલે ઇમરાન ખાન ભારત વિરૂદ્ધ ઝેર ઓંકી રહ્યા છે અને ખોટો પ્રચાર કરી રહ્યા છે. પોતાની ગેર જવાબદાર નિવેદનબાજીને યથાવત રાખતા તેમણે ત્યાં સુધી કહી દીધું કે ભારત એક કટ્ટર હિંદુ વિચારધારા અને નેતૃત્વના કબ્જામાં છે જેમકે જર્મની નાજિઓના કબજામાં હતું અને દુનિયાને તેના પરમાણુ હથિયારો પર નજર રાખવી જોઇએ.
India has been captured, as Germany had been captured by Nazis, by a fascist, racist Hindu Supremacist ideology & leadership.This threatens 9m Kashmiris under siege in IOK for over 2 weeks which shd have sent alarm bells ringing across the world with UN Observers being sent there
રાજનાથે કહ્યું હતું કે, અત્યાર સુધી અમે પ્રથમ હુમલો નહોતા કરતા, પરંતુ...
આ નિવેદન તેવા સમયે આપ્યું છે જ્યારે શનિવારે ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, ભારત અત્યાર સુધી પરમાણુ હથિયારને લઇને 'નો ફર્સ્ટ યૂઝ'ની નીતિ અપનાવતું હતું, પરંતુ ભવિષ્યમાં શું થશે, તે તો પરિસ્થિતિ નક્કી કરશે. રાજનાથે એ પણ સ્પષ્ટ કરી દીધું કે પાકિસ્તાન સાથે માત્ર પીઓકે પર ચર્ચા થશે, જમ્મૂ કાશ્મીર માટે લેવામાં આવેલ નિર્ણય પર નહીં, કારણ કે ભારતનો આંતરિક મામલો છે.
ત્યારે, રાજનાથના નિવેદનથી ડરેલા ઇમરાને રવિવારે વિશ્વ સમુદાયને અપીલ કરી, 'ભારતના પરમાણુ હથિયાર હિન્દુ વર્ચસ્વવાદી ફાસિસ્ટ મોદી સરકારના નિયંત્રણમાં છે. જેની સુરક્ષા પર દુનિયા ગંભીરતાથી વિચાર કરે, કારણ કે તેનો પ્રભાવ માત્ર ક્ષેત્રમાં સીમિત નહીં રહે, પરંતુ સમગ્ર દુનિયા પર પડશે.'
Already 4m Indian Muslims face detention camps & cancellation of citizenship. World must take note as this genie is out of the bottle & the doctrine of hate & genocide, with RSS goons on the rampage, will spread unless the international community acts now to stop it.
તેમણે ટ્વીટ કર્યું કે મોદી સરકાર પાકિસ્તાન સિવાય ભારતના અલ્પસંખ્યકો અને ગાંધી અને નેહરૂના ભારત માટે ખતરો છે. ઇમરાન ખાને આરોપ લગાવ્યો કે, દુનિયાને બોતલથી બહાર આવેલ આ જિન પર નજર રાખવી જોઇએ.