આમિર ખાનનાં ભત્રીજા ઇમરાન ખાન અને પત્ની અવંતિકા છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. જાણો વિગતવાર
આમિર ખાનનો ભત્રીજો ઇમરાન ખાન લેશે છૂટાછેડા
2011માં કર્યા હતા લગ્ન
2019થી ઇમરાન અને અવંતિકા અલગ રહે છે
આમિર ખાનનો ભત્રીજો ઇમરાન ખાન લેશે છૂટાછેડા
સોહેલ ખાન અને સીમા ખાનનાં છૂટાછેડા બાદ હવે બોલિવુડનાં હજુ એક કપલનાં અલગ થવાના સમાચારો સામે આવી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, આમિર ખાનનાં ભત્રીજા ઈમરાને પણ પોતાની પત્ની અવંતિકાથી અલગ થવાનો નિર્ણય લીધો છે. બંનેના સંબંધોને લઈને 2019થી જ અટકળો લાગી રહી હતી, પણ હવે બંનેએ હંમેશા માટે પોતાના સંબંધને પૂરો કરવાનો નિર્ણય લીધો છે.
અવંતિકા મલિક પોતાના લગ્નને હજુ એક તક આપવા માંગતી હતી, પણ ઘણી કોશિશો બાદ પણ બંનેનાં સંબંધો સુધરી ન શક્યા. એટલે સુધી કે બંનેનાં મિત્રો અને ફેમિલી મેમ્બર્સે પણ બંનેને નજીક લાવવાની કોશિશ કરી, પણ વાત ન બની. રિપોર્ટ અનુસાર, પોતાના આ લગ્નમાં ઇમરાન ફરી ફસાવા માંગતો નથી અને અવંતિકા પણ સમજી ચુકી છે કે હવે લગ્નને બચાવવા ખૂબ જ મુશ્કેલ છે. જોકે બંનેએ હજુ સુહી કોર્ટમાં છૂટાછેડા લીધા નથી.
ઇમરાન ખાન અને અવંતિકાએ 10 વર્ષ પહેલા લોંગ રિલેશનશિપ બાદ વર્ષ 2011માં ધામધૂમથી લગ્ન કર્યા હતા. બંને 7 વર્ષની એક દીકરીનાં માતા-પિતા પણ છે. ઇમરાન અને અવંતિકા વર્ષ 2019થી અલગ રહી રહ્યા છે. અલગ થયા બાદ ગયા વર્ષે મુંબઈની ફાઈવ સ્ટાર હોટલ ટ્રાઇડેંટમાં લગ્ન સમારોહમાં એકબીજાને મળી ગયા હતા. જોકે આ દરમિયાન બંનેએ સારી રીતે વાતચીત કરી અને આ મુલાકાતની ખૂબ જ ચર્ચાઓ થઈ હતી.
જણાવી દઈએ કે ઇમરાન ખાને ફિલ્મ 'જાને તૂ યા જાને ના'થી પોતાની કરિયરની શરૂઆત કરી હતી અને આ ફિલ્મ સફળ રહી હતી. એક સમયે તેઓ યુવાઓનાં ફેવરીટ રહ્યા હતા. ત્યાર બાદ તેઓ 'મેરે બ્રધર કી દુલ્હન', 'દેલી બેલી' અને 'લક'માં જોવા મળ્યા હતા, પરંતુ હવે ઘણા સમયથી મોટા પડદા પર જોવા મળ્યા નથી.