ઇસ્લામાબાદઃ કરતારપુર કોરિડોર મામલાને લઇને ભારત-પાકિસ્તાન આસિફ જરદારીએ આ વાત પર શંકા દર્શાવી કે પ્રધાનમંત્રી ઇમરાન ખાન પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી શકશે. સમાચાર પત્ર ડૉનનાં રિપોર્ટ અનુસાર પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી(પીપીપી)નાં સહ અધ્યક્ષ જરદારીએ સાદિકબાદમાં પાર્ટીની એક રેલીને સંબોધિત કરતા આ વાત કહી.
તેઓએ કહ્યું 'જે સરકાર કામ ના કરી શકે તેને સત્તાથી બહાર થઇ જવું જોઇએ. તેઓ દેશની અર્થવ્યવસ્થાને નથી સંભાળી શકતા અને ના તો તેઓ પોતાનાં જૂઠા વાયદાઓને પૂર્ણ કરી શકતાં."
તેઓએ પોતાનાં નિવેદનથી યૂ ટર્ન લેવા માટે ખાનની પણ નિંદા કરી. ગયા માસે ખાને કહ્યું કે અડોલ્ફ હિટલર અને નેપોલિયન બોનાપાર્ટ સ્થિતિ અનુસાર પોતાની રણનીતિમાં ફેરફાર નહીં લાવવાને કારણ તેઓ અસફળ થયા હતાં.
તેને ધ્યાને રાખીને જરદારીએ સવાલ કર્યો કે 'હિટલર અને નેપોલિયનને હીરોનાં રૂપમાં કેમ યાદ કરાય. માત્ર એક યુદ્ધની વાત નથી. હિટલરને કારણ મોટા પાયે ખૂન-ખરાબી થઇ હતી. ખાનને આને વિશે વિચારવું જોઇએ. લોકોને મહત્વ આપે.' રિપોર્ટ અનુસાર એણ પણ કહેવાયું કે ખાને અનેક પુસ્તકોનું વાચન કર્યું છે પરંતુ તેઓને એક ચીજ પણ સમજણમાં નથી આવતી.